________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नित्योऽनित्यः स्वभावेन सदसनिळयो व्ययः । अनक्षरोऽक्षरोव्याप्यो व्यापकोऽस्ति ह्यपेक्षया ॥५६॥
આત્મા અપેક્ષાએ ખરેખર સ્વભાવથી નિત્ય-અનિત્ય, સત્અસતુ, વ્યય-નિર્ભય, અક્ષર-અનક્ષત્ર અને વ્યાપક-અવ્યાપક છે. (પદ)
सर्वदर्शनधर्माणां दृष्टियुक्तो नयैर्मतः । नयभङ्गविकल्पेभ्यो भिन्नोऽस्ति निर्विकल्पकः॥५७ ॥
સર્વ દર્શન અને ધર્મોની દૃષ્ટિથી આત્મા ભિન્ન-ભિન્ન નયોવડે યુક્ત મનાયો છે, તથાપિ તે નયભંગના વિકલ્પોથી ભિન્ન નિર્વિકલ્પક છે. (૫૭)
कृत्स्नकर्मक्षयो मोक्ष एव लक्ष्यस्य धारकः । मोक्षलक्ष्योऽस्ति यश्चित्ते सम्यग्दृष्टिः स धर्मवान् ॥५८॥
‘સર્વ કર્મોનો ક્ષય એ જ મોક્ષ' - એવા લક્ષ્યને ધારણ કરનાર, જે ચિત્તમાં મોક્ષના લક્ષ્યવાળો છે, તે સમ્યગ્દષ્ટિ ધર્મ છે. (૫૮)
शुभः शुद्धोपयोगश्च स्वर्गदो मोक्षदः क्रमात् । सम्यग्दृष्टिमनुष्याणां द्वयोः प्राप्तिरनुक्रमात् ॥५९ ॥
શુભોપયોગ અને શુદ્ધોપયોગ ક્રમશઃ સ્વર્ગ આપનાર અને મોક્ષ આપનાર છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યોને તે બંનેની પ્રાપ્તિ અનુક્રમે થાય છે (૫૯)
लक्ष्यीकृत्य स्वमुक्तिं ये स्वाधिकारप्रवर्तकाः । आत्मशुद्धिक्रमं याताः कुर्वन्ति कर्मनिर्जराम् ॥६० ॥
પોતાની મુક્તિનું લક્ષ્ય રાખીને પોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્ત થનારા જેઓ આત્મશુદ્ધિના ક્રમને પામ્યા છે, તેઓ કર્મ નિર્જરા કરે છે. (૬૦)
૧ ર
For Private And Personal Use Only