________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
संज्वलनकषायेण युक्ताः पञ्चव्रतस्थिताः । सरागसंयमव्यक्ताः प्रमादिनोऽप्रमादिनः ॥ ७६१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ વ્રતોમાં રહેલા અને સંજ્વલન કષાયથી યુક્ત સાધુઓ સાગ સંયમવાળા પ્રમાદી તથા અપ્રમાદી હોય છે. (૭૬૧)
शस्यरागादिभिर्युक्ताः सम्प्रति पञ्चमारके । શ્રમન્યઃ સાધવ: સન્તિ સૂયો વાચાઃ શુમાઃ
૭૬૨ા
અત્યારે પાંચમા આરામાં વખાણવા લાયક શુભ રાગ વગેરેથી યુક્ત એવાં સાધુઓ અને સાધ્વીઓ તેમજ શુભ આચાર્યો અને ઉપાધ્યાયો છે. (૭૬૨)
आत्मोपयोगयुक्तास्ते सक्रिया निष्क्रियाश्च ये । सुखदुःखप्रसङ्गेषु स्वात्मनः शुद्धिकारकाः ॥ ७६३ ॥
સક્રિય અને નિષ્ક્રિય એવા આત્મોપયોગથી યુક્ત એવા તેઓ સુખ અને દુઃખના પ્રસંગોમાં પોતાના આત્માની શુદ્ધિ કરનારા છે. (૭૬૩)
शुभाशुभविपाकानां भोक्तारोऽपि ह्यभोगिनः ।
देहेऽत्र वर्तमानास्ते मोक्षानुभववेदिनः ॥ ७६४ ॥
તેઓ શુભ અને અશુભ વિપાકોના ભોક્તાઓ હોવા છતાં પણ ખરેખર અભોગી છે અને અહીં દેહમાં રહેલા હોવા છતાં પણ મોક્ષના અનુભવને વેદનારા છે. (૭૬૪)
ध्यानसमाधियोगेन मुक्तिशर्माऽनुभूयते ।
क्षयोपशमभावेन मया प्राप्तः प्रभुर्महान् ॥ ७६५ ॥
।
ધ્યાન અને સમાધિયોગથી મુક્તિનું સુખ અનુભવાય છે. ક્ષયોપશમભાવથી મારા વડે મહાન પ્રભુ પ્રાપ્ત કરાયેલ છે. (૭૬૫)
૧૫૩
For Private And Personal Use Only