________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्रा ये जैनधर्मिणः । गुणकर्मव्रतास्ते भवन्ति मुक्तिगामिनः ॥ ७५६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો – જેઓ જૈનધર્મીઓ છે, તેઓ ગુણ, કર્મ, વ્રત વગેરેથી મુક્તિ પામનારા થાય છે. (૭૫૬)
धर्मराज्यमहीवित्तस्वकुटुम्बादिरक्षिणः । आत्मोपयोगयुक्तास्ते मुक्ताः सन्ति गृहस्थिताः ॥ ७५७॥
ધર્મ, રાજ્ય, પૃથ્વી, ધન અને પોતાના કુટુંબ વગેરેનું રક્ષણ કરનારા આત્મોપયોગ યુક્ત તેઓ ઘરમાં રહેલા હોવા છતાં મુક્ત થાય છે. (૭૫૭)
धर्मयुद्धादिकर्माणि चाऽऽवश्यकानि शक्तितः । कुर्वन्ति गृहिणो जैना देशविरतिधारिणः ॥ ७५८ ॥
દેશ વિરતિ ધારણ કરનારા ગૃહસ્થ જૈનો ધર્મયુદ્ધ વગેરે કર્મો અને આવશ્યકોને શક્તિ અનુસા૨ કરે છે. (૭૫૮)
देशविरतितोऽनन्तगुणश्रेष्ठाः सुसाधवः ।
आत्मोपयोगिनः सन्तो रत्नत्रयीप्रसाधकाः ॥ ७५९ ॥
દેશ વિરતિવાળા કરતાં સુ સાધુઓ અનંત ગણા શ્રેષ્ઠ છે. તેઓ રત્નત્રયીના સાધક અને આત્મોપયોગવાળા સત્પુરુષો છે. (૭૫૯)
मेरुवत्साधवो बोध्या: सर्षपवद्गृहस्थिताः । गृहस्थैः साधवः पूज्या वन्द्याश्च विधिपूर्वकम् ॥ ७६० ॥
સાધુઓ મેરુ જેવા અને ગૃહસ્થો સરસવ જેવા જાણવા. ગૃહસ્થો વડે સાધુઓ વિધિપૂર્વક પૂજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે. (૭૬૦)
૧૫૨
For Private And Personal Use Only