________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वोत्कृष्टसमाधिर्हि शुद्धोपयोग एव सः । समत्वमुपयोगोऽस्ति पूर्णानन्दमयः प्रभुः ॥ ७६६ ॥
ખરેખર સર્વોત્કૃષ્ટ સમાધિ તે શુદ્ધોપયોગ જ છે. સમત્વ એ જ ઉપયોગ છે, જે પૂર્ણાનંદમય પ્રભુ છે. (૭૬૬)
इहैव वेद्यते सत्यं मुक्तिसुखं मयाऽधुना । क्षयोपशमभावीयशुद्धोपयोगभावतः ॥७६७ ॥
લયોપશમભાવ સંબંધી શુદ્ધોપયોગના ભાવ વડે હમણાં મારા વડે સાચું મુક્તિસુખ અહીં જ અનુભવાય છે. (૭૬૭)
सर्वदोषविनिर्मुक्तः सर्वोपाधिविवर्जितः । आधिव्याधिविनिर्मुक्तो ब्रह्मानन्दः प्रवेद्यते ॥७६८ ॥
બધા દોષોથી મુક્ત, બધી ઉપાધિઓથી રહિત અને આધિ-વ્યાધિથી મુક્તિ પામેલ બ્રહ્માનંદ મારા વડે પ્રકૃષ્ટ ભાવથી અનુભવાય છે. (૭૬૮)
सर्वविषयभोगेभ्यो भिन्नं शुद्धं च निर्मलम् । ज्ञानान्दमयं ब्रह्म स्वनुभूतं मया मयि ॥७६९ ॥
સર્વ વિષયભોગોથી ભિન્ન એવું શુદ્ધ અને નિર્મલ જ્ઞાનાનંદમય બ્રહ્મ પરમાત્મતત્ત્વ મારા વડે મારામાં સારી રીતે અનુભવાયું છે. (૭૬૯)
निर्विकल्पं निराधारं पूर्णं च सत्तया महद् । चिदानन्दमयं ब्रह्म स्वोपयोगेन वेद्यते ॥७७० ॥
નિર્વિકલ્પ, નિરાધાર, પૂર્ણ, સત્તાથી મહાન અને ચિદાનંદમય બ્રહ્મ સ્વોપયોગથી વેદાય છે, અનુભવાય છે. (૭૭૦)
૧૫૪
For Private And Personal Use Only