________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रशस्यरागयोगेन सविकल्पत्वमिष्यते। रागद्वेषौ न यत्र स्तस्तद्ध्यानं निर्विकल्पकम् ॥६६१ ॥
પ્રશસ્ય એવા શુભ રાગના યોગથી સવિકલ્પધ્યાન કહેવાય છે. જયાં રાગ અને દ્વેષ ન હોય, તે નિર્વિકલ્પ ધ્યાન છે. (૬૬૧)
शस्यरागविकल्पानामुपयोगेऽस्ति सम्भवः । शुभोपयोग इष्यः सः शुद्धो विकल्पमन्तरा ॥६६२ ॥
ઉપયોગમાં શુભ રાગના વિકલ્પોનો સંભવ છે, તે શુભોપયોગમાં ઈચ્છવા યોગ્ય છે અને શુધ્ધ ઉપયોગ વિકલ્પ વિનાનો જાણવો. (૬૬૨)
रागद्वेषादिसङ्गल्पविकल्पानां समुद्भवः। नाऽस्ति यत्र स बोद्धव्यः शुद्धोपयोग इष्टदः ॥६६३ ॥
જ્યાં રાગ-દ્વેષ વગેરે સંકલ્પ-વિકલ્પોનો સમુદ્ભવ નથી, તે શુદ્ધોપયોગ ઈષ્ટને આપનાર જાણવો જોઈએ. (૬૬૩)
मनोवाक्कायगुप्त्या च निर्विकल्पोपयोगतः। प्रादुर्भवन्ति वेगेन स्वात्मनो लब्धिसिद्धयः ॥६५४ ॥
મન-વચન-કાયાની ગુપ્તિથી અને નિર્વિકલ્પ એવા ઉપયોગથી પોતાના આત્માની લબ્ધિઓ અને સિદ્ધિઓ વેગથી પ્રાદુર્ભાવ પામે છે. (૬૬૪)
प्रथमः सविकल्पोऽस्ति स्वोपयोगः शुभङ्करः । विकल्पध्यानतः पश्चानिर्विकल्पं प्रकाशते ॥६६५ ॥
પ્રથમ શુભ કરનારો સ્વોપયોગ સવિકલ્પ હોય છે. પછી સવિકલ્પ ધ્યાનથી નિર્વિકલ્પ ધ્યાન પ્રકાશે છે. (૬૬૫)
૧૩૩
For Private And Personal Use Only