________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निर्विकल्पयोगेन केवलज्ञानभास्करः । प्रादुर्भवति सः सत्यलोकालोकप्रकाशकः ॥ ६६६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વિકલ્પધ્યાનના યોગથી કેવલજ્ઞાનરુપી સૂર્ય પ્રાદુર્ભાવ પામે છે. તે સત્ય એવા લોક અને અલોકને પ્રકાશિત કરનાર છે. (૬૬૬)
आत्म धर्मपरीणामः शुभः शुद्धश्च हार्दिकः । समाधिरेव बोद्धव्यः सम्यग्दृष्टिमनीषिभिः ॥ ६६७ ॥
શુભ, શુદ્ધ અને હાર્દિક અર્થાત્ આન્તરિક આત્મધર્મના પરિણામ એ જ સમ્યગ્દષ્ટિવાળા બુદ્ધિમાનોએ સમાધિ જાણવી જોઈએ. (૬૬૭)
मनोवाक्काययोगानामारोग्यं च प्रवर्तनम् । समितिगुप्तिसत्कर्म समाधियोग उच्यते ॥ ६६८ ॥
મન-વચન-કાયાના યોગોનું આરોગ્ય અને પ્રવર્તન તથા સમિતિ, ગુપ્તિ અને સત્કર્મ સમાધિયોગ કહેવાય છે. (૯૬૮)
मनोवाक्काययोगानां धर्ममार्गप्रवर्तनम् ।
बाह्य आभ्यन्तरो योगो द्रव्यतो भावतस्तथा ॥ ६६९ ॥
મન-વચન-કાયાના શુભ યોગોનું ધર્મમાર્ગમાં પ્રવર્તન, એ બાહ્ય અને આવ્યંતર તથા દ્રવ્યથી અને ભાવથી યોગ છે. (૬૬૯)
षट्चक्रेषु मनः स्थैर्यं कृत्वा ब्रह्मविचारणा । कर्तव्यो स्वोपयोगेन सर्वशक्त्युद्भवस्ततः ॥ ६७० ॥
છ ચક્રોમાં મનની સ્થિરતા કરીને સ્વોપયોગ વડે બ્રહ્મ વિચારણા કરવી જોઈએ. તેથી સર્વશક્તિઓનો ઉદ્ભવ થાય છે. (૯૭૦)
૧૩૪
For Private And Personal Use Only