________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाभौ संयमकर्तारो ब्रह्मरूपं विजानते । हृदि संयमकर्तारः पश्यन्तीपारगामिनः ॥६५१॥
નાભિમાં સંયમ અર્થાત્ નિગ્રહ કે નિરોધ કરનારાઓ બહ્મરુપને જાણે છે. Æયમાં સંયમ કરનારાઓ પશ્યન્તીના પારગામીઓ બને છે. (૬૫૧)
कण्ठे संयमकर्तारो मध्यमापारगामिनः । योगानुभविनः सन्तो भवन्ति ब्रह्मरूपिणः ॥६५२॥
કંઠમાં સંયમ કરનારાઓ મધ્યમાના પારગામીઓ થાય છે. યોગના અનુભવી સજ્જનો બ્રહ્મરૂપવાળા થાય છે. (૬૫૨)
स्वाधिष्ठाने तथाऽऽधारे चक्रे च मणिपूरके। चक्षुषो सिकाग्रे च देया दृष्टिर्निजात्मनः ॥६५३ ॥
સ્વાધિષ્ઠાનચક્રમાં તથા આધારચક્રમાં અને મણિપૂરક ચક્રમાં, બન્ને ચક્ષુઓ નાસિકાના અગ્રભાગે પોતાના આત્માની દષ્ટિદેવી જોઈએ અર્થાત એકાગ્રતા પૂર્વક સ્થિર કરવી જોઈએ. (૬૫૩)
दृष्टिं धृत्वा भ्रुवोर्मध्ये ब्रह्मज्योतिः प्रलोकनम् । त्राटकदृष्टितो ध्येयं ब्रह्मज्योतिः प्रकाशते ॥ ६५४ ॥
બન્ને ભૂકુટિઓની વચ્ચે દષ્ટિને ધારણ કરીને ત્રાટક દૃષ્ટિથી ધ્યેયરૂપ બ્રહ્મ જયોતિને જોવાથી બ્રહ્મજ્યોતિ પ્રકાશે છે. (૬૫૪)
ब्रह्मरन्ध्रे मनो धृत्वा तत्राऽऽत्मनः प्रधारणम् । कर्तव्यं सविकल्पेन पश्चात्स्यानिर्विकल्पता ॥६५५ ॥
બ્રહ્મરંધ્રમાં મનને ધારણ કરીને ત્યાં આત્માની સવિકલ્પ ધ્યાન વડે ધારણા કરવી જોઈએ, પછી નિર્વિકલ્પતા થાય છે. (૬૫૫)
૧૨૧
For Private And Personal Use Only