________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चित्तैकाग्यं यदा ध्येये परब्रह्मणि जायते । तदाऽऽत्मानुभवः स्पष्टो हृद्येवं वेदितो मया ॥६४६ ॥
જ્યારે ધ્યેયરૂપ પરબ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા થાય છે, ત્યારે દૃયમાં સ્પષ્ટ આત્માનુભવ મારા વડે આ રીતે વેદાયો અર્થાત જણાયો છે. (૬૪૬)
दृष्टिं संस्थाप्य नाभौ ये हृत्पद्येच स्थिरात्मना । ध्यायन्ते ब्रह्मभूतास्ते भवन्ति ब्रह्मदर्शनात् ॥६४७ ॥
જેઓ નાભિમાં દૃષ્ટિને સારી રીતે સ્થાપીને સ્થિર આત્મા વડે સ્ક્રય કમલમાં ધ્યાન કરે છે, તેઓ બ્રહ્મદર્શનથી બ્રહ્મભૂત અર્થાત્ બ્રહ્મ સાથે એક થયેલા બ્રહ્મરુપ કે બ્રહ્મમય થઈ જાય છે. (૬૪૭)
साक्षात्कारः परायां स्यानाभौ त्राटकयोगतः । आत्मपारंन संयाति वैखरी शब्दशक्तितः ॥६४८॥
નાભિમાં ત્રાટક્યોગથી પરામાં સાક્ષાત્કાર થાય છે. વૈખરી શબ્દશક્તિથી આત્માનો પાર પામી શકાતો નથી. (૬૪૮)
सर्ववाचो निवर्तन्ते ब्रह्मणोऽनुभवे स्फुटम् । अनुभवः परायां स्याद् ब्रह्मलीनमहर्षिणाम् ॥६४९ ॥
બ્રહ્મનો અનુભવ થતાં સ્પષ્ટ રીતે બધી વાણીઓ પાછી ફરી જાય છે. બ્રહ્મમાં લીન મહર્ષિઓને પરાવાણીમાં બ્રહ્મનો અનુભવ થાય છે. (૬૪૯)
आत्मोत्थिता पराभाषा स्वात्मज्ञानावगाहिनी। सत्यं प्रकाशते ब्रह्म वैखर्या नैव वर्ण्यते ॥६५०॥
આત્માથી ઉસ્થિત થતી પરાભાષા પોતાના આત્મજ્ઞાનને અવગાહન કરે છે. જે સત્ય બ્રહ્મ પ્રકાશે છે, તેનું વૈખરી વાણીથી વર્ણન કરી શકાતું જ નથી. (૬૫૦).
૧૩૦
For Private And Personal Use Only