________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एकात्मा संग्रहेण स्याच्चित्सत्तातः प्रवेदकः । आत्मसत्तोपयोगेन सद्ब्रह्मैक्यं प्रवेम्यहम् ॥६०६ ॥
સંગ્રહ નયથી આત્મા એક છે, એમ આત્મા ચિત્સત્તાથી જાણનાર છે. આત્મ સત્તામાં ઉપયોગ કરવા વડે હું સબ્રહ્મની સાથે ઐક્ય જાણું છું અર્થાત્ ઐક્ય અનુભવું છું. (૬૦૬) सिद्धदेवसमाः पूर्णा आत्मानः सन्ति सत्तया।
आत्मोपयोगतः सिद्धो भविष्यामि न संशयः ॥६०७॥
સત્તાથી બધા આત્માઓ સિદ્ધદેવ જેવા પૂર્ણ છે. આત્મોપયોગથી હું સિદ્ધ થઈશ, એમાં સંશય નથી. (૬૦૭)
गच्छादिसम्प्रदायानां चर्चासु न पतेत् सुधीः । सर्वगच्छेषु मोक्षोऽस्ति साम्योपयोगतो ध्रुवम् ॥६०८ ॥
બુદ્ધિશાળી જ્ઞાનીએ ગચ્છ વગેરે અને સંપ્રદાયોની ચર્ચામાં પડવું ન જોઈએ. મોક્ષ સામ્યોપયોગથી બધા ગચ્છોમાં અવશ્ય થાય છે. (૬૦૮)
गच्छादिमतभेदानां मोहान्मुक्तिर्न जायते । मुक्तिः कषायमुक्याऽस्ति साम्यात्कषायमुक्तता ॥६०९॥
ગચ્છ વગેરેના મતભેદોના મોહથી મુક્તિ થતી નથી. કષાય મુક્તિથી જ મોક્ષ થાય છે અને સામ્યભાવથી કષાય મુક્તતા થાય છે. (૬૦૯)
स्वगच्छे व्यवहारेण वर्तिनां समभावतः। कषायमुक्तितो मुक्तिर्भवेत्तत्र न संशयः ॥६१०॥
પોતાના ગચ્છમાં વ્યવહારથી સમભાવપૂર્વક વર્તનારાઓની મુક્તિ કષાયમુક્તિથી થાય છે, તેમાં સંશય નથી. (૧૦)
૧ ૨ ૨
For Private And Personal Use Only