________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सत्त्वरजस्तमोवृत्तिर्मोहप्रकृतिरेव सा । प्रकृतेर्भिन्नमात्मानं पुरुषमेव बोधत ॥ ६०१ ॥ સત્ત્વવૃત્તિ, રજવૃત્તિ અને તમોવૃત્તિએ મોહ પ્રકૃતિ જ છે. પ્રકૃતિથી ભિન્ન આત્માને જ પુરુષ જાણો (૬૦૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मनोऽसङ्ख्यनामानि तैरात्मानं विचारय ।
त्वत्तः प्रकाशते विश्वं स्वात्मानं विद्धि सत्प्रभुम् ॥ ६०२ ॥ આત્માના અસંખ્ય નામો છે, તેના વડે તું આત્માનો વિચાર કર. તારાથી વિશ્વ પ્રકાશે છે. તું પોતાના આત્માને સત્પ્રભુ જાણ. (૬૦૨)
मां नय तमसो ज्योतिः परब्रह्मजिनेश्वर ।
आत्मा ब्रूते निजात्मानमलक्ष्यो नैव लक्ष्यते ।। ६०३ ॥
હે પરબ્રહ્મ જિનેશ્વર ! તું મને અંધકારમાંથી પરું જ્યોતિ તરફ લઈ જા – એમ આત્મા પોતાના આત્માને જ કહે છે. કારણકે અલક્ષ્ય એવો આત્મા જોઈ શકાતો જ નથી. (૬૦૩)
आत्मोपयोगतो लक्ष्योऽलक्ष्य आत्मा निजात्मना । अनुभवी विजानाति स्ववेद्यो ऽहं चिदात्मना ॥ ६०४॥
આત્મોપયોગથી અલક્ષ્ય આત્મા પોતાના આત્મા વડે લક્ષ્ય બને છે અર્થાત્ જાણી શકાય છે. ચિદાત્મા વડે હું સ્વવેદ્ય અર્થાત્ પોતાના વડે જ જાણવા યોગ્ય છું, એમ અનુભવી વિશેષે કરીને જાણે છે. (૬૦૪)
आनन्दज्ञानरूपोऽस्ति सर्वजीवास्तथाऽऽत्मनः ।
ज्ञाता आत्मोपयोगेन शुद्धनिश्चयबोधतः ॥ ६०५ ॥
બધા જીવો આનંદ અને જ્ઞાનરુપ છે તથા શુદ્ધ નિશ્ચય નયના બોધથી આત્મોપયોગ વડે આત્માના જ્ઞાતા છે. (૬૦૫)
૧૨૧
For Private And Personal Use Only