________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बस्तिरेव गुरोर्बोधो नौलिकर्मैव सक्रिया। षट्चक्रदेवदेव्यस्तु स्वान्तरा आत्मवृत्तयः ॥५९६ ॥
ગુરુનો બોધ એ બસ્તિ છે અને સક્રિયા એ નૌલિકર્મ છે. પોતાની આંતરિક આત્મવૃત્તિઓ તે ષટ્યકનાં દેવ-દેવીઓ છે. (૫૯૬)
ज्ञानयोगी विजानाति षट्धास्थानकमात्मनः । आत्मोपयोगतः षड्धास्थानकचक्रमात्मनि ॥५९७ ।।
જ્ઞાનયોગી આત્માના છ પ્રકારનાં સ્થાનકોને વિશેષે કરીને જાણે છે. આત્મોપયોગથી છ પ્રકારનાં સ્થાનકોનું ચક્ર આત્મામાં છે. (૫૯૭)
ज्ञातं येन स मुक्तः स्यात् सम्यग्दर्शननिश्चयात् । आत्मोपयोगलीनत्वं प्राप्यते ज्ञानयोगिभिः ॥५९८ ॥
સમ્યગ્દર્શનના નિશ્ચયથી જેણે આત્માનાં ષસ્થાનકોનું ચક્ર જાણ્યું છે, તે મુક્ત થાય છે. કારણકે જ્ઞાનયોગીઓ વડે આત્મોપયોગમાં લીનતા પ્રાપ્ત કરાય છે. (૫૯૮).
मोहादिसर्ववृत्तीनां लयो मोक्षो भवेत् खलु । महावीरस्य नाम्ना त्वं वीरे लीनो भव द्रुतम् ॥५९९ ॥
ખરેખર મોહ વગેરે સર્વવૃત્તિઓનો લય એ જ મોક્ષ છે. તેથી મહાવીર પ્રભુના નામથી તું આત્મવીરમાં શીઘ લીન થા. (૫૯૯)
स्वयं भव महावीरो वीराद्वीरः प्रकाशते । सत्तयाऽऽत्ममहावीरो व्यक्तः स भवति ध्रुवम् ॥६०० ॥
તું પોતે આત્મ મહાવીર થા. વીરથી આત્મ વીર પ્રકાશે છે. જે સત્તાથી આત્મ મહાવીર છે, તે નક્કી વ્યક્ત થાય છે. (૬૨૦)
૧૨૦
For Private And Personal Use Only