________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वदर्शनरूपात्मा दर्शनान्यात्मनः स्फुटम् । श्रुतज्ञानस्य पर्याया मिथ्यासम्यकस्वरूपिणः ॥५८६ ॥
સર્વદર્શનરુપ આત્મા છે; તેથી દર્શનો સ્પષ્ટ રીતે આત્માના શ્રુતજ્ઞાનના મિથ્યા અને સમ્યફ સ્વરુપવાળા પર્યાયો છે. (૫૮૬)
साधिते जैनधर्म स्युः सर्वधर्माः प्रसाधिताः । सर्व धर्माः प्रगच्छन्ति जैनधर्मं प्रति ध्रुवम् ॥५८७ ।।
જ્યારે જૈનધર્મ સાધવામાં આવે છે, ત્યારે બધા ધર્મો સધાય જાય છે. બધા ધર્મો નિશ્ચિત જૈનધર્મ તરફ જાય છે અર્થાત જૈનધર્મને મળે છે. (૫૮૭)
सर्वदर्शनपर्यायाः संस्पृष्टास्त्याजिताश्च ये। केवलज्ञानलाभेन प्रजायन्ते न ते पुनः ।। ५८८ ।।
સર્વદર્શનના પર્યાયો જે સ્પર્શાવેલા અને ત્યજાયેલા છે, તે કેવલજ્ઞાનના લાભથી ફરીથી ઉત્પન્ન થતા નથી અર્થાત્ પ્રકટ થતા નથી. (૫૮૮)
आत्मनः क्षायिकाद् भावात् केवलज्ञानदर्शनम्। प्राप्तेरनन्तरं स्वात्मा परमात्मा ध्रुवं भवेत् ।। ५८९ ।।
આત્માના ક્ષાયિક ભાવના કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિની સાથે જ પોતાનો આત્મા અવશ્ય પરમાત્મા થયા છે. (૫૮૯)
शुद्धप्रज्ञा सुषुम्णैव भक्तिरिडैव सात्त्विकी। पिङ्गलैव स्थिरप्रज्ञा मेरुदण्डोऽस्ति धीरता ॥५९० ॥
શુદ્ધપ્રજ્ઞા જ સુષુમ્યા છે. સાત્ત્વિક ભક્તિ જ ઈડા છે. સ્થિરપ્રજ્ઞા જ પિંગલા છે અને ધીરતા જ મેરુદંડ છે. (૫૯૦)
૧૧૮
For Private And Personal Use Only