________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
जैनदर्शनमात्माऽस्ति स्वात्माऽहं जैनदर्शनी । जिनश्च जैनरूपोऽहं साध्यसाधनभावतः ॥ ५८१ ॥
જૈન દર્શન એ આત્મા છે. હું - પોતાનો આત્મા જૈન દર્શની છું. સાધ્ય અને સાધનભાવથી હું જિન અને જૈનરુપ છું. (૫૮૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुक्त्यर्थं यो जिनैर्दिष्टो जैनधर्मः स उच्यते । आदर्शध्येयरूपोऽस्ति पूर्णात्मशुद्धिकारकः ॥ ५८२ ॥
મુક્તિને માટે જે જિનોએ ઉપદેશ્યો છે, તે જૈનધર્મ કહેવાય છે. પૂર્ણ આત્મશુદ્ધિ કરનારો તે આદર્શ ધ્યેયરુપ છે. (૫૮૨)
आत्मनः पूर्णशुद्धयर्थं जैनधर्मोऽस्ति साधनम् । द्रव्यभावारिजेतारो जैना जिनानुयायिनः ॥ ५८३ ॥
આત્માની પૂર્ણશુદ્ધિને માટે જૈનધર્મ સાધન છે. જિનના અનુયાયી જૈનો દ્રવ્યશત્રુઓ અને ભાવશત્રુઓને જીતનારા છે. (૫૮૩)
जैनास्तु साधकात्मानो मोहनाशनतत्पराः । रागद्वेषविजेतारो केवलज्ञानिनो जिनाः ॥ ५८४ ॥
જૈનો તો મોહનો નાશ કરવામાં તત્પર સાધક આત્માઓ છે. રાગ અને દ્વેષને વિશેષે કરીને જીતનારા અને કેવલજ્ઞાનવાળા જિનો છે. (૫૮૪)
जैनधर्मो जिनो जैन आत्मैव चाऽऽत्मपर्यवाः । आत्मनः शुद्धपर्यायसिद्धरूपमुपास्महे ।। ५८५ ॥
જૈનધર્મ, જિન, જૈન અને આત્મા એ જ આત્માના પર્યાયો છે. આત્માના શુદ્ધ પર્યાયરૂપ સિદ્ધ સ્વરુપની અમે ઉપાસના કરીએ છીએ. (૫૮૫)
૧૧૭
For Private And Personal Use Only