________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सम्यग्दर्शनसम्प्राप्त्या प्रादुर्भवति चेतने । शुद्धोपयोगसामर्थ्यं सर्वकर्मविनाशकम् ॥ ५७६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતનમાં સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિથી સર્વકર્મોનો વિનાશ કરનારું શુદ્ધોપયોગનું સામર્થ્ય પ્રકટ થાય છે. (૫૭૬)
अनेकान्तमताम्भोधिः सम्यग्दृष्टिजनोऽस्ति यः । सर्वधर्मस्य मर्माणि जानाति साध्यलक्ष्यवान् ॥ ५७७ ॥
અનેકાન્તમતનો સમુદ્ર એવો સમ્યગ્દષ્ટિ મનુષ્ય સાધ્યના લક્ષવાળો અને સર્વધર્મનાં રહસ્યોને જાણે છે. (૫૭૭)
स्याद्वादनयसापेक्षाज्जिनाङ्गे सर्वदर्शनम् ।
माति मया परिज्ञातं स्याद्वादनयबोधतः ॥ ५७८ ॥
સ્યાદ્વાદ અને નયોની અપેક્ષાએ શ્રીજિનના અંગમાં સર્વદર્શન સમાય જાય છે, એમ મેં સ્યાદ્વાદ અને નયોના જ્ઞાનથી જાણ્યું છે. (૫૭૮)
सर्वदर्शनसत्यांशदर्शकं जैनदर्शनम् ।
सर्वकदाग्रहान्मुक्तं शुद्धोपयोगदर्शकम् ॥ ५७९ ॥
બધાં દર્શનનોના સત્યાંશોને બતાવનારું જૈનદર્શન સર્વ કદાગ્રહોથી મુક્ત અને શુદ્ધોપયોગ દર્શક છે. (૫૭૯)
रुणद्धि सत्यबोधेन सर्वविश्वकदाग्रहान् । सर्वदर्शनसद्रूपं जयताज्जैनदर्शनम् ॥ ५८० ॥
તું સમસ્ત વિશ્વના કદાગ્રહોનો સત્યના બોધથી ૨ોધ કર. સર્વદર્શનોનું સટ્રૂપ જૈનદર્શન જય પામો અર્થાત્ જયવંત વર્તો (૫૮૦)
૧૧૬
For Private And Personal Use Only