________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वविश्वस्थधर्माणां शास्त्राणां मर्म वेम्यहम् । पुण्यं स्वर्गाय मुक्यर्थं पापं स्यानरकाय च ॥५७१ ॥
સમસ્ત વિશ્વમાં રહેલા ધર્મોનાં શાસ્ત્રોનો મર્મ હું જાણું છું. પુણ્ય સ્વર્ગ તથા મોક્ષને માટે છે અને પાપ નરકને માટે થાય છે. (પ૭૧).
सर्वदर्शनसारोऽस्ति मनोवाक्कायशुद्धितः । आत्मशुद्धिः प्रकर्तव्या वदामीति सुनिश्चयात् ॥५७२ ॥
મન, વચન અને કાયાની શુદ્ધિથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. એ બધાં દર્શનોનો સાર છે - એમ હું નિશ્ચયપૂર્વક કહું છું. (૫૭૨)
सर्वदर्शनशास्त्रेषु यत्सत्यं तत्समाचार । स्याद्वाददृष्टितः सर्वसत्यांशान् यान्ति योगिनः ॥५७३ ॥
બધાં દર્શનોનાં શાસ્ત્રોમાં જે સત્ય છે, તેનું તું સારી રીતે આચરણ કર. યોગીઓ સ્યાદ્વાદ દૃષ્ટિથી સર્વ સત્યાંશોને પામે છે. (૫૭૩)
सम्यग्दर्शनलब्धारः सर्वदर्शनधर्मतः । सत्यं गृह्णन्ति सापेक्षदृष्ट्या जैनाः शिवार्थिनः ॥५७४ ॥
સમ્યગ્દર્શનને પામેલા મોક્ષાર્થી જેનો બધાં દર્શન અને ધર્મોમાંથી સાપેક્ષ દૃષ્ટિએ સત્યને ગ્રહણ કરે છે, (૫૭૪)
सम्यग्दृष्टिं हृदि प्राप्य पश्चाद् भूत्वोपयोगिनः । स्वान्यलिङ्गेषु सिद्धा ये सेत्स्यन्ति ते च सर्वथा ॥५७५ ॥
જેઓ સ્વલિંગમાં અને અન્યલિંગમાં સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે, તેઓ સર્વથા સ્ટયમાં સમ્યગ્દષ્ટિને પ્રાપ્ત કરીને પછી ઉપયોગવાળા થઈને જ સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે. (૫૭૫)
૧૧૫
For Private And Personal Use Only