________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
देहयोगेन यो देही नष्टे देहे न नश्यति । आत्माऽस्ति दर्शनज्ञानचारित्रगुणवान् स्वयम् ॥ ५६६ ॥ દેહના યોગથી જે દેહી છે, તે દેહ જ્યારે નાશ પામે છે, ત્યારે દેહી-આત્મા નાશ પામતો નથી. આત્મા પોતે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણવાળો છે. (૫૬૬)
आत्मानः सङ्ख्ययाऽनन्ता भिन्नाः प्रतिशरीरिणः । अनादिकालतः कर्मसङ्गिनः शाश्वताव्ययाः ॥ ५६७ ॥
દરેક શરીરવાળા આત્માઓ ભિન્ન ભિન્ન છે અને સંખ્યાથી અનંતા છે. અનાદિ કાલથી કર્મના સંગવાળા તેઓ શાશ્વત અને અવ્યય છે. (૫૬૭)
सर्वकर्मविनाशाद्यो जीवो मुक्तो भवेत्प्रभुः ।
आत्मा परात्मतां याति सिद्धो बुद्धो भवेद्विभुः ॥ ५६८ ॥
સર્વ કર્મોના વિનાશથી જે જીવ મુક્ત થયો છે, તે જીવ પ્રભુ બને છે. તે આત્મા પરાત્મતા અર્થાત્ પરમાત્મપણું પામે છે. સિદ્ધ, બુદ્ધ અને વિભુ બને છે. (૫૬૮)
स्वर्गार्थं न शुभं कर्म कामये व्यवहारतः ।
सर्वं जीवोपकाराय करोमि स्वाधिकारतः ॥ ५६९ ।।
હું વ્યવહારથી સ્વર્ગને માટે શુભ કર્મ ઈચ્છતો નથી પરંતુ પોતાના અધિકાર પ્રમાણે હું બધું જીવોના ઉપકારને માટે કરું છું. (૫૬૯)
सर्ववेदादिशास्त्राणां सारोऽस्ति तं वदाम्यहम् । आत्मशुद्धिः प्रकर्तव्या रागद्वेषविनाशतः ॥ ५७० ॥
સર્વ વેદ વગેરે શાસ્ત્રોનો જે સાર છે, તે હું કહું છું. રાગ અને દ્વેષના વિનાશથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. (૫૭૦)
૧૧૪
For Private And Personal Use Only