________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अव्यक्तः सत्तया स्वात्मा व्यक्तो व्यक्तगुणादिभिः । अव्यक्ताः सन्ति सद्व्यक्ताः पर्यायाश्च गुणा निजे ॥ ५६१ ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાનો આત્મા સત્તાથી અવ્યક્ત છે અને વ્યક્ત ગુણો વગેરેથી વ્યક્ત છે. પોતાનામાં અવ્યક્ત ગુણો અને પર્યાયો સારી રીતે વ્યક્ત થાય છે. (૫૬૧)
आत्मनोऽनन्तसामर्थ्यमात्मन्येव स्फुटं भवेत् । कायादिमिश्रवीर्यात्स्वं भिन्नं शुद्धं महद्बलम् ॥ ५६२ ॥ આત્માનું અનંત સામર્થ્ય આત્મામાં જ પ્રગટ થાય છે. કાયા વગેરેના મિશ્રવીર્યથી પોતાનું શુદ્ધ મહાન બલ ભિન્ન છે. (૫૬૨)
आत्मवीर्येण देहस्य सन्ति कम्पादिकाः क्रियाः । आत्मानमन्तरा देहो मृतो भवति निश्चलः ॥ ५६३ ॥
આત્માના વીર્યથી દેહની કંપન વગેરે ક્રિયાઓ થાય છે. સિવાય નિષ્પ્રાણ દેહ નિશ્ચલ થાય છે. (૫૬૩)
आत्मानमन्तरा देहे ज्ञाता कोऽपि न विद्यते । देहस्थोऽपि न देहोऽसौ देहो मे ज्ञानवाँश्च सः ॥ ५६४ ॥
આત્મા
આત્માવિના દેહમાં કોઈપણ જ્ઞાતા વિદ્યમાન નથી. દેહમાં રહેલો હોવા છતાં પણ આ આત્મા દેહ નથી અને દેહ મારો નથી, એવા જ્ઞાનવાળો તે આત્મા છે. (૫૬૪)
स्थूल कृशश्च मे देहो भिन्नोऽस्ति देहतः स्वयम् । गृहाद् गृही यथा भिन्नस्तथाऽऽत्मा देहसंस्थितः ॥ ५६५ ॥
૧૧૩
મારો દેહ સ્થૂલ છે અને કૃશ છે, એમ જાણનારો આત્મા દેહથી ભિન્ન છે. જેમ ઘ૨માં રહેનારો ઘરથી ભિન્ન છે, તેમ દેહમાં રહેલો આત્મા દેહથી ભિન્ન છે. (૫૬૫)
For Private And Personal Use Only