________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निजात्मैव तपो बोध्यं सर्वेच्छारोधकं महद् । कर्मणां निर्जरा येन भवेन्मुक्तिप्रदायकम् ॥ ५३६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાનો આત્મા જ સર્વ ઈચ્છાઓનો રોધ કરનારુ મહાન તપ છે, એમ જાણવું જોઈએ, જેના વડે કર્મોની નિર્જરા થાય છે અને જે મુક્તિ આપનારું છે. (૫૩૬)
गुणाश्च सर्वपर्याया अनन्ता आत्मसंस्थिताः । स्यादात्माऽभेदतस्तेषामैक्यं जानन्ति पण्डिताः ॥ ५३७ ॥
આત્મામાં રહેલા અનંત ગુણો અને સર્વપર્યાયો અભેદથી આત્મા છે. તેઓનું ઐક્ય પંડિતો જાણે છે. (૫૩૭)
आत्मनः सद्गुणाः सर्वे स्वात्मरूपा अनादितः । सत्तातो विद्यमानास्ते भवन्ति व्यक्तरूपिणः ॥ ५३८ ॥
આત્માના બધા સદ્ગુણો અનાદિકાલથી પોતાના આત્મરુપ છે. સત્તાથી રહેલા તે ગુણો વ્યક્ત રુપવાળા એટલેકે પ્રગટ થાય છે. (૫૩૮)
आत्मशुद्धस्वभावेन मोक्षोऽस्तीति विनिश्चितम् । रागद्वेषविभावेन संसारोऽस्तीति निश्चितम् ॥ ५३९ ॥
આત્માના શુદ્ધ સ્વભાવથી મોક્ષ થાય છે, એ નિશ્ચિત છે અને રાગદ્વેષરુપ વિભાવથી સંસાર છે, એ (પણ) નિશ્ચિત છે. (૫૩૯)
जीवनं स्वात्मभावेन मृत्युर्मोहेन निश्चितम् । जीवनं मरणं ज्ञात्वा प्रमादं मा कुरुष्व भोः ॥ ५४० ॥
પોતાના આત્મભાવથી જીવન છે અને મોહથી મૃત્યુ છે, એ નિશ્ચિત છે. હે આત્મન્ ! આ પ્રમાણે જીવન અને મરણને જાણીને પ્રમાદ કર મા. (૫૪૦)
૧૦૮
For Private And Personal Use Only