________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्हन्नस्ति निजात्मैव सिद्ध आत्मैव शाश्वतः । आचार्योऽस्ति निजात्मैव स्वात्मैव वाचकप्रभुः ॥५३१॥
પોતાનો આત્મા જ અરિહંત છે. આત્મા જ શાશ્વત સિદ્ધ છે. પોતાનો આત્મા જ આચાર્ય છે. પોતાનો આત્મા જ વાચકપ્રભુ અર્થાત્ ઉપાધ્યાય છે. (પ૩૧)
साधुरस्ति निजात्मैव स्वात्मैव परमेष्ठिराट् । शुद्धदर्शनमात्मैव ज्ञानमात्मैव सर्वथा ॥५३२॥
પોતાનો આત્મા જ સાધુ છે. પોતાનો આત્મા જ પરમેષ્ઠિરાજ છે. આત્મા જ શુદ્ધદર્શન છે. આત્મા જ સર્વથા જ્ઞાન છે. (૫૩૨)
स्वान्यप्रकाशकं ज्ञानं ज्ञानेनाऽऽत्मा प्रलक्ष्यते । स्वभाव आत्मनो मुख्यो ज्ञानं ब्रह्मैव सर्वदा ॥५३३ ॥
જ્ઞાન સ્વપર પ્રકાશક છે. જ્ઞાનથી આત્મા જણાય છે. આત્માનો મુખ્ય સ્વભાવ જ્ઞાન જ સર્વદા બ્રહ્મ છે. (૫૩૩)
निजात्मैवाऽस्ति चारित्रं रमणं स्थैर्यमात्मनि । शुद्धोपयोग एवाऽस्ति चारित्रं कर्मनाशकम् ॥५३४ ॥
પોતાનો આત્મા જ ચારિત્ર છે. આત્મામાં સ્થિરતા એ જ રમણતા છે. તેથી શુદ્ધોપયોગ જ કર્મોનો નાશ કરનારું ચારિત્ર છે. (૫૩૪)
आत्मवीर्यं निजात्मैव वर्तते तन्निजात्मनि । आत्मासंख्यप्रदेशेषु पर्यायगुणशक्तिदम् ॥५३५ ।।
પોતાનો આત્મા જ આત્મવીર્ય છે. જે આત્માના અસંખ્ય પ્રદેશોમાં પર્યાય અને ગુણની શક્તિને આપનારું છે. તે આત્મવીર્ય પોતાના આત્મામાં રહેલું છે. (૫૩૫)
૧૦૭
For Private And Personal Use Only