________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इलापुत्रो गतो मुक्तिमाऽऽत्मनो भावनाबलात् । आत्मशुद्धोपयोगेन आषाढः केवली प्रभुः ॥ ५२६ ।।
ઈલાપુત્ર આત્માની ભાવનાના બલથી મોક્ષે ગયા અને આત્માના શુદ્ધોપયોગથી આષાઢભૂતિ કેવલી પ્રભુ થયા. (૫૨૬)
आत्मभावनया मुक्तिमनन्ताः खलु लेभिरे । भावनारूढजीवानां शुद्धोपयोग आन्तरः ॥ ५२७ ।।
ખરેખર આત્મભાવનાથી અનંતજીવોએ મુક્તિ મેળવી છે. ભાવનામાં આરુઢ થયેલા જીવોને આંતરિક શુદ્ધોપયોગ હોય છે. (૫૨૭)
दानादिधर्मकार्याणि न फलन्ति च तां विना । शुभाच्छुद्धा प्रजायेत भावना मुक्तिदायिनी ॥ ५२८ ॥
દાન વગેરે ધર્મકાર્યો તેના વિના અર્થાત્ ભાવના વિના ફળતાં નથી. શુભ ભાવનાથી મુક્તિ આપનારી શુદ્ધ ભાવના ઉત્પન્ન થાય છે. (૫૨૮)
आत्मोपयोगदातृत्वे भावनाया महद्बलम् ।
बाह्यक्रियां विना भावाद् यथायोगं फलं भवेत् ॥ ५२९ ॥
આત્મોપયોગ આપવામાં ભાવનાનું મહાન બલ છે. પણ ભાવથી બ્રાહ્ય ક્રિયા વિના યોગ અનુસાર અર્થાત્ પ્રસંગ પ્રમાણે ફલ મળે છે. (૫૨૯)
आत्मनः शुद्धपर्यायाः सिद्धात्मादिप्रभेदतः । ज्ञातव्या उपयोगेन सद्गुरुबोधयुक्तिभिः ॥ ५३० ॥
સદ્ગુરુઓના બોધની યુક્તિઓથી ઉપયોગ વડે સિદ્ધાત્મા વગેરે પ્રભેદોથી આત્માના શુદ્ધ પર્યાયો જાણવા જોઈએ. (૫૩૦)
૧૦૬
For Private And Personal Use Only