________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सद्गुणानां प्रकाशाय दोषाणां नाशहेतवे । यद्योग्यं तत्प्रकर्तव्यं योग्योपायैर्यथातथम् ॥५२१ ।।
સદ્ગણોની પ્રાપ્તિ માટે અને દોષોનો નાશ કરવા માટે યોગ્ય ઉપાયો વડે યથાર્થ રીતે જે યોગ્ય હોય તે કરવું જોઈએ. (૨૧)
आत्मनि भव मग्नस्त्वं पूर्णप्रीत्या भृशं स्वयम् । आत्मानुभवसंप्राप्त्या निर्विकल्पो भविष्यसि ।।५२२ ।।
તું સ્વયં પૂર્ણ પ્રીતિથી આત્મામાં અત્યન્ત મગ્ન થા. આત્માના અનુભવની સમ્ય પ્રાપ્તિથી તું નિર્વિકલ્પ થઈશ. (પ૨ ૨)
शुद्धात्मानं विना ह्यन्यान् सङ्कल्पॉस्त्वं भृशं त्यज । सर्वथाऽऽत्मोपरि प्रेम धारयोत्साहवीर्यतः ॥५२३ ॥
શુદ્ધાત્મા સિવાય અન્ય સંકલ્પોનો તું અત્યન્ત ત્યાગ કર તથા ઉત્સાહ અને વીર્યથી સર્વથા આત્મા ઉપર પ્રેમને ધારણ કર. (પ૨૩)
यादृग् भावो भवेद्यस्य फलं तस्याऽस्ति तादृशम् । आत्मशुद्धोपयोगेन फलं मुक्तिर्निजात्मनः ॥५२४ ॥
જેનો જેવો ભાવ હોય છે, તેને તેવું ફળ પ્રાપ્ત થાય છે. આત્માના શુદ્ધોપયોગથી પ્રાપ્ત થતું ફળ પોતાના આત્માની મુક્તિ છે. (૫૨૪)
आत्मभावेन मोक्षोऽस्ति भव्यानां भावनावताम् । भरताद्या गता मुक्तिमाऽऽत्मनो भावनाबलात् ॥५२५ ॥
આત્મભાવથી ભાવનાવાળા ભવ્ય જીવોનો મોક્ષ થાય છે. આત્મભાવના બળથી ભરત ચક્રવર્તી વગેરે મુક્તિ પામ્યા. (પ૨૫)
૧૦૫
For Private And Personal Use Only