________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मपक्वदशाप्राप्त्यै मोहकृत्सङ्गवर्जनम् । यथायोग्यं प्रकर्तव्यं यत्र तत्र यदा तदा ॥५१६ ॥
આત્માની પક્વદશા પ્રાપ્ત કરવા માટે મોહ ઉત્પન્ન થાય તેવા સંગનો ત્યાગ કરવો જોઈએ અને જે સમયે જે યોગ્ય હોય, તે સમયે તે પ્રમાણે કરવું જોઈએ. (૫૧૬).
शुद्धात्मभावनावेगादाविर्भावो निजात्मनि । आत्मानन्दसमुद्रस्य जायतेऽनुभवो हदि ॥५१७ ॥
શુદ્ધાત્મભાવના આવેગથી પોતાના આત્મામાં આત્માનંદ રૂપ સાગરનો આવિર્ભાવ થાય છે – અને દયમાં એનો એવો અનુભવ થાય છે. (૫૧૭)
प्रतिक्षणं हदि व्यक्ता कर्तव्या ब्रह्मभावना। यत्र तत्र सदा भाव्यः शुद्धात्मा ध्यानयोगतः ॥५१८ ॥
પ્રતિક્ષણ હૃદયમાં બ્રહ્મ ભાવના વ્યક્ત કરવી જોઈએ અને હંમેશા સર્વ સ્થળે ધ્યાનયોગથી શુદ્ધ આત્માને ભાવવો જોઈએ. (૫૧૮)
सद्गुरुभक्तिसेवाद्यैरात्मपातो न जायते।. निपातोऽपिन भक्तानां गुर्वादिभक्तिकारिणाम् ॥५१९॥
સદ્દગુરુની ભક્તિ, સેવા વગેરેથી આત્માનું પતન થતું નથી, તેથી ગુરુ વગેરેની ભક્તિ કરનારા ભક્તોનો નિપાત પણ થતો નથી. (૫૧૯)
दोषान्मुक्वा निजात्मानं प्रति क्रमणयोगतः । आत्मशुद्धिर्भवेत्तूर्णं तत्र मग्नो भव स्वयम् ॥५२० ॥
દોષોને છોડીને પોતાના આત્માની તરફ ગતિ કરવાના યોગથી આત્મશુદ્ધિ શીધ્ર થાય છે. તું સ્વયં આત્મશુદ્ધિમાં મગ્ન થા. (પ૨૦)
૧૦૪
For Private And Personal Use Only