________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परब्रह्ममहावीरकृपां याचे स्वमुक्तये। सतां कृपाकटाक्षेण मदुद्धारो भवेद् ध्रुवम् ॥५०१॥
હું પોતાની મુક્તિને માટે પરબ્રહ્મ મહાવીરની કૃપા યાચું છું. સપુરુષોના કૃપાકટાક્ષથી મારો ઉદ્ધાર અવશ્ય થશે. (૫૦૧)
पश्चात्तापोऽस्ति दोषाणां गुणानामनुमोदना। सर्वसङ्घस्य दासानुदासोऽहमुपयोगवान् ॥५०२ ॥
દોષોનો પશ્ચાત્તાપ કરૂં છે. ગુણોની અનુમોદના કરૂં છે. ઉપયોગવાળો હું સર્વ સંઘનો દાસાનુદાસ છું. (૫૦૨)
दासोऽहं सर्वसाधूनां साध्वीनां च विशेषतः । तत्कृपया मदुद्धारो भूयात्तत्प्रार्थयाम्यहम् ॥५०३ ॥
હું સર્વ સાધુઓનો દાસ છું અને વિશેષ કરીને સાધ્વીઓનો દાસ છું. તેઓની કૃપાથી મારો ઉદ્ધાર થાઓ, એવી હું પ્રાર્થના કરું છું. (૫૦૩)
सर्वसङ्घस्य सेवायां स्वार्पणभाववानहम् । आत्मशुद्धोपयोगार्थं यते निष्कामभक्तितः ॥५०४॥
સર્વ સંઘની સેવામાં સ્વાર્પણની ભાવનાવાળો હું આત્મશુદ્ધોપયોગ માટે નિષ્કામ ભક્તિથી યત્ન કરું છું. (૫૦૪).
आत्मनो गुणदोषाणां कर्तव्यं च निरीक्षणम् । पश्चात्तापादियोगेन कर्तव्या चाऽऽत्मशुद्धता ॥५०५ ।।
પોતાના ગુણ તથા દોષોનું નિરીક્ષણ કરવું જોઈએ અને પશ્ચાત્તાપ વગેરેના યોગથી આત્માની શુદ્ધતા કરવી જોઈએ. (૫૦૫)
૧૦૧
For Private And Personal Use Only