________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुप्ता व्यक्ताश्च ये दोषा हर्तव्या पूर्णयत्नतः । दोषा भवाय मोक्षाय गुणा ज्ञेया विवेकतः ॥ ५०६ ॥
ગુપ્ત અને વ્યક્ત જે દોષો હોય, તે પૂર્ણ યત્નથી દૂર કરવા જોઈએ. દોષો ભવને માટે થાય છે અને ગુણો મોક્ષને માટે થાય છે. એમ તું વિવેકથી (૫૦૬)
જાણ.
गुणा निजात्मनो रूपं मोहरूपं तु दुर्गुणाः । दोषवृन्दविनाशेन स्वात्मशुद्धिं कुरु द्रुतम् ॥ ५०७ ॥
ગુણો પોતાના આત્માનું સ્વરુપ છે અને દુર્ગુણો તો મોહનું રુપ છે. માટે દોષોના સમૂહના વિનાશથી તું શીઘ્ર પોતાના આત્માની શુદ્ધિ કર. (૫૦૭)
मुक्तिः कदापि न स्याद्धि रागद्वेषक्षयं विना । अतो रागादिदोषाणां नाशाय त्वं यतस्व भोः ॥ ५०८ ॥
રાગ અને દ્વેષના ક્ષય વિના ક્યારેય મુક્તિ થતી જ નથી. તેથી હે ચેતન ! રાગાદિદોષોના નાશને માટે તું યત્ન કર. (૫૦૮)
दोषप्रमादनाशार्थमात्मरूपं विचारय ।
गुणान् व्यक्तान् कुरुष्व त्वं प्रमादं मा कुरु क्षणम् ॥ ५०९ ॥
દોષો અને પ્રમાદના નાશ માટે તું આત્માનું સ્વરુપ વિચાર. તું ગુણોને વ્યક્ત કર અને ક્ષણનો પણ પ્રમાદ કર મા. (૫૦૯)
गारुडिको यथा सर्पविषमुत्तारयेद् द्रुतम् । जाङ्गुलीमन्त्रयोगेन ज्ञानी मोहविषं तथा ॥ ५१० ॥
જેમ ગારુડી જાંગુલી મંત્રના યોગથી સર્પના વિષને ઝડપથી ઉતારે છે, તેમ જ્ઞાની મોહના વિષને ઝડપથી ઉતારે છે. (૫૧૦)
૧૦૨
For Private And Personal Use Only