________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મોઃ ।
सम्यक्त्वदर्शनं प्राप्य मा प्रमादं कुरुष्व
आत्मन् शुद्धस्वरूपं ते चिन्तयस्व स्थिरो भव ॥ ४९१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે આત્મન્ ! સમ્યક્ત્વદર્શનને પ્રાપ્ત કરીને તું પ્રમાદ કર મા. તું તારા શુદ્ધસ્વરુપનું ચિંતન કર અને શુદ્ધસ્વરૂપમાં સ્થિર થા. (૪૯૧)
सत्यासत्यं च विज्ञाय मा मुह्य मोहकर्मणि । असत्ये वर्तमानोऽपि तत्र सत्यं न वेदय ॥ ४९२ ॥
સત્ય અને અસત્યને જાણીને તું મોહકર્મમાં આસક્ત થા મા. અસત્યનું આચરણ કરતો હોવા છતાં પણ તું તેમાં સત્ય જાણ નહીં. (૪૯૨)
सम्यग्दृष्ट्या प्रविज्ञाय स्वात्मधर्मे रतिं कुरु । प्रारब्धकर्मभोगेषु रतिं मा कुरु चेतन ! ॥ ४९३ ॥
હે ચેતન ! સમ્યગ્દષ્ટિથી સ્વ આત્મધર્મને જાણીને તું પોતાના આત્મધર્મમાં રતિ કર અને પ્રારબ્ધકર્મોના ભોગોમાં રતિ ક૨ મા. (૪૯૩)
वैषयिकरतिं त्यक्त्वा शुद्धात्मनि रतिं कुरु ।
पवित्रात्मा भव स्पष्टं परब्रह्ममयो भव ॥ ४९४ ॥
વૈયિક રતિને તજીને તું શુદ્ધાત્મામાં રતિ કર. તું સ્પષ્ટ રીતે પવિત્રાત્મા થા અને પરબ્રહ્મમય બન. (૪૯૪)
सम्मील्य सागरे बिन्दुर्यथाऽब्धिरूपतां भजेत् ।
तथा परात्मतां प्राप्य स्वात्मा सिद्धो भवेत्स्वयम् ॥ ४९५ ॥
જેવી રીતે બિન્દુ સિન્ધુમાં સારી રીતે મળીને સિન્ધુપણાને પામે છે, તેવી રીતે પોતાનો આત્મા પરમાત્મપણાને પામીને સ્વયં સિદ્ધ થાય છે. (૪૯૫)
2)
For Private And Personal Use Only