________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जातानां हि विनाशोऽस्ति तेषां शोकं निवारय । आत्माऽसि सच्चिदानन्दः स्वस्वरूपं विचारय ॥ ४८६ ॥
જન્મેલાઓનો અવશ્ય વિનાશ છે, માટે તેઓનો શોક તું દૂર કર. તું સચ્ચિદાનંદ આત્મા છે, તેથી પોતાના સ્વરૂપનો વિચાર કર. (૪૮૬)
साधय स्वात्मनः शुद्धिं वारय मोहवासनाम् । जनान् स्मारय सद्ब्रह्म धारय स्वोपयोगिताम् ॥ ४८७॥
તું મોહવાસનાને દૂર કરે અને પોતાના આત્માની શુદ્ધિ સાધ અર્થાત્ સિદ્ધ કર. લોકોને સબ્રહ્મનું સ્મરણ કરાવ અને સ્વોપયોગતાને તું ધારણ કર. (૪૮૭).
जीव शुद्धोपयोगेन प्रियस्व मोहभावतः । विस्मर मोहभावॉस्त्वमात्मरूपं च संस्मर ॥ ४८८ ॥
તું શુદ્ધોપયોગથી જીવ. મોહભાવનો નાશ કર. મોહભાવોને ભૂલી જા અને આત્મસ્વરૂપનું સારી રીતે સ્મરણ કર. (૪૮૮)
असंख्यमार्गा मोक्षस्य सन्ति स्वात्मोपयोगिनाम् । तेषामेकमपि प्राप्य सिद्धाः सेत्स्यन्ति देहिनः ॥ ४८९ ॥
સ્વાત્મોપયોગવાળાઓને મોક્ષના અસંખ્ય માર્ગો છે. તેમાંથી એકને પણ પ્રાપ્ત કરીને દેહધારીઓ સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે. (૪૮૯)
सम्यक्त्वदर्शनं व्यक्तमात्मोपयोग इष्यते । आत्मोपयोगिनां सर्वे मार्गा मोक्षाय भाषिताः ॥४९०॥
વ્યક્ત સમ્યકત્વદર્શન આત્મોપયોગ કહેવાય છે. આત્મોપયોગવાળાઓને બધા માર્ગો મોક્ષને માટે કહ્યા છે. (૪૯૦)
૯૮
For Private And Personal Use Only