________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साध्यलक्ष्यं हदि ध्यात्वा कर्तव्यकार्यमाचर। आत्मोत्साहेन वर्तस्व प्रमादाँश्च निवारय ॥ ४८१ ॥
સાધ્યલક્ષ્યનું દયમાં ધ્યાન કરીને તું કર્તવ્ય કાર્યનું આચરણ કર. પ્રમાદોને દૂર કર. આત્માના ઉત્સાહથી વર્તન કર. (૪૮૧)
प्रतिक्षणं परब्रह्मशुद्धरूपं विचारय । भूया: शुद्धात्ममग्नस्त्वं विस्मृत्य मोहभावनाम् ॥ ४८२॥
પ્રતિક્ષણ શુદ્ધસ્વરુપવાળા પરબ્રહ્મનો તું વિચાર કર. મોહભાવનાને ભૂલીને તું શુદ્ધાત્મામાં મગ્ન થા. (૪૮૨)
निर्ममो भव सर्वत्र दृश्यादृश्येषु वस्तुषु । नाऽहंकारी भव व्यक्तदृश्यादृश्येषु सर्वथा ॥ ४८३ ॥
તું દશ્ય અને અદશ્ય વસ્તુઓમાં સર્વત્ર મમત્વ વિનાનો થા અને વ્યક્ત એવી દશ્ય અને અદશ્ય વસ્તુઓમાં તું સર્વથા અહંકારી ન થા. (૪૮૩)
साक्षिभावेन सर्वत्र वर्तस्व स्वोपयोगतः । औपचारिककार्येषु निर्लेपो भव बोधतः॥४८४ ॥
સ્વોપયોગથી તું સર્વત્ર સાક્ષીભાવ વડે વર્તન કર અને ઔપચારિક કાર્યોમાં જ્ઞાનથી નિર્લેપ થા. (૪૮૪).
मृत्युतो निर्भयीभूय स्वात्मनि निर्भयं चर। जातस्य वपुषो नाशः स्वयं त्वमविनाशवान् ॥ ४८५ ॥
તું મૃત્યુથી નિર્ભય થઈને પોતાના આત્મામાં નિર્ભયપણે રમણતા કર. જન્મેલા શરીરનો નાશ થાય છે. તું પોતે અવિનાશી છે. (૪૮૫)
For Private And Personal Use Only