________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सात्त्विकगुणकर्माणि पुद्गलॉश्च विशेषतः । स्वान्योपकारहेत्वर्थं व्यापृणीहि विवेकतः ॥ ४७६ ॥
સાત્ત્વિક ગુણવાળાં કાર્યો અને વિશેષ કરીને પુદ્ગલોનો સ્વ અને પરના ઉપકારને માટે તું વિવેકથી ઉપયોગ કર. (૪૭૬)
आत्मोपयोगिनो लोकाः साधनसाध्यवेदिनः । यथायोगं प्रवर्तन्ते सम्यगविश्वावलोकिनः ॥ ४७७ ॥
સારી રીતે વિશ્વનું અવલોકન કરનારા, સાધન અને સાધ્યને જાણનારા, આત્મોપયોગવાળા લોકો યથા યોગ અર્થાત્ અવસર કે સમય પ્રમાણે પ્રવર્તે છે. (૪૭૭)
सम्यक्छूद्धानसम्यक्वलाभात्पश्चात्प्रकाशते । अल्पकाले चिरंकाले चारित्रं चाऽऽत्मनः स्फुटम् ॥ ४७८॥
સમ્યમ્ શ્રદ્ધારૂપ સમ્યક્ત્ત્વનો લાભ થયા પછી અલ્પકાલે કે ચિરકાલે આત્માનું ચારિત્ર સ્પષ્ટ રીતે પ્રકાશે છે. (૪૭૮)
स्वात्मानं स्वं परिज्ञाय शीघ्रमुत्तिष्ठ जागृहि। स्वपर्यायगुणानां त्वमाविर्भावं कुरु द्रुतम् ॥ ४७९ ॥
પોતાને એટલે કે પોતાના આત્માને પૂર્ણ રીતે જાણીને તું શીઘ પરાક્રમવાળો. જાગ્રત થા અને પોતાના પર્યાય અને ગુણોનો તું શીધ્ર આવિર્ભાવ કર. (૪૭૯)
आत्मनः पूर्णशुद्धिर्या सैव साध्या जिनोदिता। साध्यलक्ष्योपयोगेन स्वात्मशुद्धिं कुरु द्रुतम् ॥ ४८० ॥
જિનોએ કહેલી આત્માની જે પૂર્ણ શુદ્ધિ છે, તે જ સાધવા યોગ્ય છે. માટે સાધ્ય લક્ષ્યના ઉપયોગ વડે તું શીધ્ર પોતાના આત્માની શુદ્ધિ કર. (૪૮૦)
For Private And Personal Use Only