________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मशुद्धोपयोगेन सेवाभक्त्यादिकारिणाम् । सात्त्विका नैव बन्धाय प्रत्युत मुक्तिहेतवे ॥ ४७१ ॥
આત્માના શુદ્ધોપયોગ વડે સેવાભક્તિ વગેરે કરનારાઓના સાત્ત્વિક સગુણો બંધને માટે થતા જ નથી, ઊલટા મુક્તિના હેતુ માટે થાય છે. (૪૭૧)
मुक्तिं प्रति समादेया अतः सात्त्विकसद्गुणाः । सात्त्विकसद्गुणाद्भिन्ना ज्ञानाद्या आत्मसद्गुणाः ॥४७२॥
તેથી મુક્તિ પ્રત્યે સાત્ત્વિક સગુણો સારી રીતે સ્વીકાર્ય છે. સાત્ત્વિક સગુણોથી ભિન્ન એવા જ્ઞાન વગેરે આત્માના સગુણો છે. (૪૭૨)
सात्त्विकगुणकर्मभ्यो भिन्नोऽहं ज्ञानदर्शनी। तथाऽपि स्वान्यशुद्ध्यर्थं यतेऽहं तत्प्रसाधनैः ॥ ४७३ ॥
જ્ઞાન અને સમ્ય દર્શનવાળો હું સાત્ત્વિક ગુણવાળા કર્મોથી ભિન્ન છું, તો પણ પોતાની અને પરની શુદ્ધિને માટે તે સાધનો વડે યત્ન કરું છું. (૪૭૩).
सात्त्विकगुणकर्माणि साधनानि निबोधत । आत्मोपयोगतस्तानि व्यापृणीहि यथातथम् ॥ ४७४ ॥
સાત્ત્વિક ગુણવાળાં કાર્યોને સાધનો સમજો. તું આત્મોપયોગપૂર્વક તેનો યથાર્થ ઉપયોગ કર. (૪૭૪)
सात्त्विकगुणकार्येषु सम्यक्साधनबुद्धितः। प्रवर्तस्वोपयोगेन स्वान्योपग्रहहेतवे ॥ ४७५ ॥
સાત્ત્વિક ગુણવાળાં કાર્યોમાં સમ્યફ સાધનની બુદ્ધિથી સ્વ અને પરના ઉપકાર માટે તું ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કર. (૪૭૫)
૯૫
For Private And Personal Use Only