________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
देवस्य सद्गुरोर्भक्त्या स्वात्मशुद्धिः प्रजायते । सेवा भक्तिपरीणामाद् भवन्ति सात्त्विका गुणाः ॥ ४६६॥
દેવની અને ગુરુની ભક્તિથી પોતાના આત્માની શુદ્ધિ થાય છે. સેવા અને ભક્તિના પરિણામથી સાત્ત્વિક ગુણો પ્રગટ થાય છે. (૪૬૬)
सेवाभक्तिपरीणामो जायेताऽऽत्मन आत्मनि । आत्मना जायते चित्ते सात्त्विकमोहमिश्रकः ॥ ४६७ ॥
આત્માનો સેવા ભક્તિ પરિણામ આત્મામાં જન્મે છે. જ્યારે સાત્ત્વિક મોહ મિશ્રિત પરિણામ આત્મા વડે ચિત્તમાં ઉત્પન્ન થાય છે. (૪૬૭)
सेवाभक्तिपरीणामः प्रशस्यमोहसंयुतः । केवलज्ञानतः पूर्वं वर्तते सर्वधर्मिणाम् ॥ ४६८ ॥
પ્રશસ્ય અર્થાત્ વખાણવા લાયક એવા મોહથી સમન્વિત સેવા ભક્તિના પરિણામ બધા ધર્મીઓને કેવલજ્ઞાન પહેલા વર્તે છે. (૪૬૮)
शुद्धात्मरूपदीपाग्रे स्फटिकाच्छादनं यथा। तथा सात्त्विकमोहीयमिश्रस्वात्मिकसद्गुणाः ॥ ४६९ ॥
જેમ શુદ્ધાત્મરુપ દીપકની આગળ સ્ફટિકનું આચ્છાદન હોય, તેમ સાત્ત્વિક મોહથી મિશ્ર પોતાના આત્મિક સદ્ગણો હોય છે. (૪૬૯)
स्फटिकेन यथा दीपो नाऽऽवृतो हि भवेत्तथा । सात्त्विकेभ्यो निजात्मीयगुणाः स्युर्नावृताः खलु ॥४७०॥
જેમ સ્ફટિકથી દીપક ઢંકાતો જ નથી, તેમ સાત્ત્વિક-સગુણોથી પોતાના આત્માના ગુણો ખરેખર ઢંકાતા નથી. (૪૭૦)
८४
For Private And Personal Use Only