________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सर्वयोगादिसारोऽस्ति संसाध्या वीतरागता आत्मोपयोगता साध्येत्येवं ब्रुवन्ति पण्डिताः ॥ ४६१ ॥
સર્વ યોગો વગેરેનો સાર છે કે વીતરાગતા સમ્યગ્ રીતે સાધવી જોઈએ. તે માટે આત્મોપયોગતા સાધવી જોઈએ, એમ પંડિતો કહે છે. (૪૬૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोवाक्कायपावित्र्यादात्मनः पूर्णशुद्धता ।
कर्तव्या सा सतां प्राप्या सत्यमेवं वदाम्यहम् ॥ ४६२ ॥
મન, વચન અને કાયાની પવિત્રતાથી આત્માની પૂર્ણ શુદ્ધતા કરવી જોઈએ અને તે સત્પુરુષોને મળે એવી છે, એમ હું સત્ય કહું છું. (૪૬૨)
आर्याः स्युः सद्गुणैः सर्वे सदाचारैर्भुवस्तले । मनोवाक्कायशुद्ध्या ये स्वात्मशुद्धिविधायिनः ॥ ४६३ ॥
પૃથ્વી પર સદ્ગુણો અને સદાચારોથી બધા આર્યો છે. જેઓ મન, વચન અને કાયાની શુદ્ધિથી પોતાના આત્માની શુદ્ધિને કરનારા છે. (૪૬૩)
आत्मशुद्धिं विना देवदेवीभिर्भक्तदेहिनाम् । मुक्तिः प्रदीयते नैव स्वात्मना निजमुद्धरेत् ॥ ४६४ ॥
આત્માની શુદ્ધિ વિના દેવ-દેવીઓ વડે ભક્ત દેહધારીઓને મુક્તિ અપાતી જ નથી, તેથી પોતાના આત્મા વડે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. (૪૬૪)
जायते न कदा मुक्तिराविर्भूतगुणैर्विना ।
ईश्वरेणाऽपि नो देया सत्यमेतद्विचारय ॥ ४६५ ॥
આવિર્ભાવ પામેલા ગુણો વિના મુક્તિ કયારે પણ થતી નથી અને ઈશ્વર દ્વારા પણ તે આપી શકાય એવી નથી, એ સત્યનો તું વિચાર કર. (૪૬૫)
૯૩
For Private And Personal Use Only