________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वैभाविकपरीणामाद् भिन्नं स्वाभाविकात्मनि । उपयोगपरीणामं कुरुष्व भव्यचेतन ॥ ४५१ ।।
હે ભવ્ય ચેતન ! તું વૈભાવિક પરિણામથી ભિન્ન એવા ઉપયોગ પરિણામને સ્વાભાવિકપણે આત્મામાં કર. (૪૫૧)
सर्वविश्वसमाजानां कल्याणाय कलौ महान् । शुद्धोपयोग एवाऽस्ति सर्वथा मोक्षदायकः ॥ ४५२ ॥
કલિયુગમાં સર્વવિશ્વના સમાજોના કલ્યાણ માટે સર્વથા મોક્ષદાયક મહાન શુદ્ધોપયોગ જ છે. (૪પર)
सर्वदोषविनाशाय सर्वसद्गुणहेतवे। कृत्स्नकर्मक्षयार्थं च शुद्धोपयोगमाचर ।। ४५३ ।।
સર્વદોષોના વિનાશને માટે, સર્વ. સગુણોને પ્રાપ્ત કરવા માટે અને સર્વકર્મોનો ક્ષય કરવા માટે તું શુદ્ધોપયોગનું આચરણ કર. (૪૫૩)
रोगादिजन्यदुःखेऽपि ब्रह्मतत्त्वविचारिणाम्।
आत्मोपयोगिनां नित्यमानन्दोल्लास आत्मनि ॥ ४५४ ॥ રોગ વગેરેથી ઉત્પન્ન થયેલા દુઃખમાં પણ બ્રહ્મતત્ત્વનો વિચાર કરનારા આત્મોપયોગીઓના આત્મામાં નિત્ય આનંદોલ્લાસ હોય છે. (૪૫૪)
उपयोगेन वेत्तारं स्मारं स्मारं विचिन्तय । विस्मृत्य बाह्यभावं त्वं लीनो भव निजात्मनि ॥ ४५५ ॥
ઉપયોગ વડે જાણનારને અર્થાત્ આત્માને યાદ કરી કરીને તું ચિંતન કર અને બાહ્યભાવને ભૂલી જઈને તું પોતાના આત્મામાં લીન થા. (૪૫૫)
૯૧
For Private And Personal Use Only