________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुष्टव्यसनदासा ये दुर्गुणैर्ये च जीवकाः। दुष्टप्रवृत्तिदासा ये मुक्तिं यान्ति न हिंसकाः ॥ ४४६ ॥
જેઓ દુષ્ટ વ્યસનોના દાસ છે અને જેઓ દુર્ગુણોથી જીવનારા છે તથા જેઓ દુષ્ટ પ્રવૃતિઓના દાસ છે અને હિંસા કરનારા છે, તેઓ મુક્તિ પામતા નથી. (૪૪૬).
विनेयस्तत्त्वजिज्ञासुरार्हतः सत्यपालकः । शुद्धोपयोगयोग्यः स मृतः सन् यश्च जीवति ॥ ४४७ ॥
જે વિનયવાન છે, આહત છે, તત્વનો જિજ્ઞાસુ છે, સત્યનું પાલન કરનારો છે અને શુદ્ધોપયોગને યોગ્ય છે, તે મૃત્યુ પછી પણ સગુણોની સુવાસથી જીવે છે. (૪૪૭)
सद्गुणैर्ये च जीवन्तो मृता ये दुष्टवृत्तिभिः । ये च जीवन्ति मोक्षार्थं शुद्धात्मानो भवन्ति ते ॥ ४४८ ॥
જેઓ સગુણોથી જીવતાં છે અને જેઓ દુષ્ટવૃતિઓથી મરેલાં છે અને જેઓ મોક્ષને માટે જીવે છે, તેઓ શુદ્ધાત્માઓ બને છે. (૪૪૮)
अनन्तमात्मसामर्थ्य प्रादुर्भवति चेतने। आत्मोपयोगतः पूर्णं परब्रह्म प्रकाशते ॥ ४४९ ॥
આત્મપયોગથી ચેતનમાં અનંત આત્મસામર્થ્યપ્રગટ થાય છે અને પૂર્ણ પરબ્રહ્મ પ્રકાશે છે. (૪૪૯)
वैभाविकपरीणामाद् भिन्नो निजात्मनि स्फुटम्। स्वाभाविकपरीणामः शुद्धोपयोग उच्यते ॥ ४५० ॥
પોતાના આત્મામાં વૈભાવિક પરિણામથી સ્પષ્ટ ભિન્ન એવો સ્વાભાવિક પરિણામ શુદ્ધોપયોગ કહેવાય છે. (૪૫૦)
For Private And Personal Use Only