________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चारित्रिणां महाभक्तिः स्थिरप्रज्ञाक्षमार्जवाः । इत्यादिसद्गुणैर्मोक्षो विश्वस्थदेहिनां भवेत् ॥ ४४१ ॥
ચારિત્રવાળાઓની મહાભક્તિ, સ્થિર પ્રજ્ઞા, ક્ષમા અને આર્જવ અર્થાત્ સરળંતા ઈત્યાદિ સદ્ગુણો વડે વિશ્વમાં રહેલા દેહધારીઓનો મોક્ષ થાય છે. (૪૪૧).
मुक्तिः स्वर्गश्च नारीणां शूद्राणां म्लेच्छदेहिनाम् । पापकर्मपरित्यागात् सद्गुणाचारतश्च वै ॥ ४४२ ॥
ખરેખર પાપકર્મોના પરિત્યાગથી અને સદ્ગણોના આચરણથી સ્ત્રીઓને, શૂદ્રોને તથા મ્યુચ્છ વગેરે દેહધારીઓને પણ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. (૪૪૨).
पापाचारविचाराणां पश्चात्तापो भृशं भवेत् । ईश्वरप्रार्थनायोगात् पवित्रात्मा स्वयं भवेत् ॥४४३ ॥
ઈશ્વરની પ્રાર્થના યોગથી પાપાચારના વિચારોનો ખૂબ પશ્ચાતાપ થાય છે અને સાધક સ્વયં પવિત્રાત્મા બને છે. (૪૪૩).
पूर्वोक्तसद्गुणाचारैजैनधर्मो जगत्त्रये । सर्वजातीयलोकानां मुक्तिदोऽस्ति स्वभावतः ॥ ४४४ ॥
પૂર્વોક્ત સદ્ગુણોના આચરણથી જૈનધર્મસ્વભાવથી ત્રણે જગતમાં સર્વ જાતિના લોકોને મુક્તિ આપનારો છે. (૪૪૪)
पापाद् दुःखं सुखं धर्मात् सर्वत्र विश्वदेहिनाम् । इति विज्ञाय धर्मार्थं जीव वारय दुर्गुणान् ॥४४५ ॥
સર્વત્ર સમસ્ત દેહધારીઓને પાપથી દુઃખ અને ધર્મથી સુખ થાય છે – એમ જાણીને હે જીવ! તું ધર્મને માટે જીવ અને દુર્ગુણોને તું દૂર કર. (૪૪૫)
૮૯
For Private And Personal Use Only