________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दया सत्यं दानमस्तेयं चाऽपरिग्रहः । आत्मदृष्टिश्च सत्सेवा शद्धोपयोगहेतवः ॥४३६ ॥
દયા, સત્ય, તપ, દાન, અસ્તેય અને અપરિગ્રહ તથા આત્મદષ્ટિ અને પુરુષોની સેવા- વગેરે શુદ્ધોપયોગના હેતુઓ છે. (૪૩૬)
भक्तानां भावतः सेवा प्रमाणिकप्रवर्तनम् । पारतन्त्र्यं न भोगानां रोगादौ न च दीनता ॥ ४३७ ॥
ભક્તોની ભાવપૂર્વક સેવા, પ્રામાણિક વર્તન, ભોગોની પરતંત્રતા ન હોવી અને રોગ વગેરેમાં દીનતા ન હોવી, એ શુદ્ધોપયોગના હેતુઓ છે. (૪૩૭)
साहाय्यं दुःखभोक्तृणामनीतिवर्जनं सदा । सत्यांशेषु महारागः शुद्धोपयोगहेतवः ॥ ४३८ ॥
દુ:ખ ભોગવનારાઓને મદદ, સદા અનીતિનો ત્યાગ અને સત્યાંશોમાં મહારાગ, એ શુદ્ધોપયોગના હેતુઓ છે. (૪૩૮)
सर्वविश्वस्थजीवानामुपकारप्रवृत्तयः ।। सर्वथा मदिरात्यागो मांसस्य परिवर्जनम् ॥ ४३९ ॥
સમસ્ત વિશ્વમાં રહેલા જીવોના ઉપકારની પ્રવૃત્તિઓ, સર્વથા મદિરાનો ત્યાગ, માંસનું પરિવર્જન ઈત્યાદિ સદ્ગુણો વડે વિશ્વમાં રહેલા દેહધારીઓનો મોક્ષ થાય છે. (૪૩૯)
व्यभिचारस्य संत्यागो दुष्टव्यसनवर्जनम् । पशुपक्षिमनुष्याणां हिंसात्यागो विवेकिता ॥ ४४०॥
વ્યભિચારનો ત્યાગ, દુષ્ટ વ્યસનોનું વર્જન, પશુ, પક્ષી અને મનુષ્યોની હિંસાનો ત્યાગ, વિવેકીપણું ઈત્યાદિ સદ્ગુણો વડે વિશ્વમાં રહેલા દેહધારીઓનો મોક્ષ થાય છે. (૪૪૦)
For Private And Personal Use Only