________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दर्शनधर्ममार्गाणां सर्वसत्यं निजात्मनि । विज्ञाय चाऽऽत्मशुद्ध्यर्थं जैनधर्मं प्रसाध्य ॥ ४३१॥
દર્શનો અને ધર્મ માર્ગોના સર્વ સત્યને પોતાના આત્મામાં જાણીને આત્માની શુદ્ધિને માટે તું જૈનધર્મની સાધના કર. (૪૩૧)
षड्द्रव्यनवतत्त्वानां नयनिक्षेपभङ्गतः। श्रद्धानपूर्वकं ज्ञानं सम्यग्दर्शनमुच्यते ।। ४३२ ॥
છ દ્રવ્યો તથા નવ તત્ત્વોનું નય, નિક્ષેપ અને ભંગથી શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન, એ સમ્યગ્દર્શન કહેવાય છે. (૪૩૨)
सम्यग्दर्शनलाभेन सत्फला धर्मसाधना । निष्फलं धर्मकृत्यं स्यात् सम्यग्दर्शनमन्तरा ॥४३३ ॥
સમ્યગ્દર્શનના લાભથી ધર્મસાધના સારા ફળવાળી બને છે. સમ્યગ્દર્શન વિના ધર્મકાર્ય નિષ્ફળ છે. (૪૩૩)
सम्यग्दर्शनमेवाऽस्ति शुद्धोपयोग आत्मनः । सम्यक्चारित्रमेवाऽस्ति शुद्धोपयोग आन्तरः ॥ ४३४ ॥
સમ્યગ્દર્શન એજ આત્માનો શુદ્ધોપયોગ છે અને સમ્યફચારિત્ર જ આંતરિક શુદ્ધોપયોગ છે. અથવા આત્માનો શુદ્ધોપયોગ જ સમ્યગ્દર્શન છે અને આંતરિક શુદ્ધોપયોગ જ સમ્યફચારિત્ર છે. (૪૩૪)
शुद्धोपयोगिनां सर्वं वाणीकायादिवर्तनम् । स्वर्गाय मुकाये वा स्यात्तत्र किञ्चिन्न संशयः ॥४३५ ।।
શુદ્ધોપયોગવાળાઓનું બધું પાણી અને કાયા વગેરેનું વર્તન સ્વર્ગને માટે અથવા મોક્ષને માટે થાય છે. તેમાં સહેજ પણ સંશય નથી. (૪૩૫)
૮૭
For Private And Personal Use Only