________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫) નથી. અહંવૃત્તિના નાશ માટે સશુરૂ મહારાજ સારા ઉપાયો બતાવશે. પરમ વૈરાગ્ય અને જ્ઞાનવિના અહંવૃત્તિને નાશ થત નથી. આત્મજ્ઞાનરૂપ સૂર્ય હદયાકાશમાં પ્રગટતાં અહંવૃત્તિરૂપ અંધકાર નાશ પામે છે, મોટાં મેટા કુહાડાઓ લેટાને કાપી શકતી નથી, પણ છીણીયું લોઢાને કાપી નાખે છે. તેમ જગતની વિદ્યાઓ અહંવૃત્તિને નાશ કરી શકતી નથી, પણ આત્મજ્ઞાન અહંવૃત્તિનો ત્વરિત નાશ કરે છે. અહંવૃત્તિને નાશ ભેદજ્ઞાન અને ચારિત્ર વિના થતો નથી. મેક્ષસાયસાધક ભવ્ય પુરૂષ અંતરથી આત્મરવરૂપનું સ્મરણ કરી, અહંવૃત્તિને નાશ કરે છે. સર્વ સાંસારિક પદાર્થોને ત્યાગ કરી, પંચમહાવ્રત અંગીકાર કરી, મુનિ થઈને પણ અહંવૃત્તિને નાશ કરી, આત્મીક સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, એજ ઉત્તમોત્તમ કર્તવ્ય છે. અહંવૃત્તિ છે કે મહા જેરવાળી છે, તે પણ જ્ઞાન અને ધ્યાનથી તેનો નાશ થઈ શકે છે. અહંવૃત્તિથી થતા અભિમાનથી સંસારમાં જ હિંસા, ન્ડ, ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, વિગેરે પાપકૃત્યો અહનિશ કર્યા કરે છે. અહંવૃત્તિના યોગે આત્મા પિતાના સ્વરૂપનું ધ્યાન મૂકી, અન્ય વસ્તુનું ધ્યાન કરે છે, તેથી પોતે પરવસ્તુને ધ્યાતા કહેવાય છે. અનેક પ્રકારના દેની ઉત્પત્તિ અહંવૃત્તિના ગે ઉભવે છે; આત્માના અનંતગુણોનું આવરણ અહંવૃત્તિના ગે થયું છે, થાય છે અને થશે.
For Private And Personal Use Only