________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં સુખની આશાએ પ્રયત્ન કરતો છતો, પણ જરા માત્ર સુખ પામી શકતો નથી. ક્ષણીક સુખની લાલચે, અનંતસુખાશ્રય આત્મસ્વરૂપને ભૂલી ગયે. જરા માત્ર પણ આ જીવે આત્મસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નહીં, આત્મસુખ માટે સદ્ ગુરૂનાં ચરણકમળની ઉપાસના કરી નહીં. આત્મ રવરૂપજ્ઞાનાર્થે, ગીતાર્થગુરૂઓનાં વચન શ્રવણ કયો નહીં. સામાન્ય વિશેષાત્મકપદાર્થસ્વરૂપ સમજી શક્યા નહીં. આત્મારૂપ દેશનું જ્ઞાન લીધું નહીં, અને બાહ્ય દેશમાં સુખ માની લીધું. ઇત્યાદિ સર્વ અહંવૃત્તિનો પ્રભાવ જગતમાં દ્રષ્ટિગોચર થાય છે. વળી અહંવૃત્તિથી આશા ઉત્પન્ન થાય છે. આ જગમાં અનેક પ્રકારની આશાઓને મનુ ધારણ કરી રહ્યા છે, કરે છે અને કરેશે. સ્ત્રી, ધન, પુત્ર, સુખ ની આશાએ અનેક પ્રકારના ઉદ્યમ કરાય છે. આશારૂપ પિશાચિનિના ગે, અનેક પ્રકારની ગુલામગીરી જીવ કરે છે. ધનની આશાએ મૂર્ણ મૂઢ રાજાની સેવા પંડિતો પણ કરે છે. સ્ત્રીની આશાએ અનેક પ્રકારની આજ્ઞા પુરૂષ ઉઠાવે છે; સંસારનાં સુખ મધુબિંદુ સમાન છે, તેની આ શામાં જીવ પિતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે; ક્ષણીક સુખની આશામાં, ચંડાલની પણ સેવા ચાકરી કરે છે. તે સંબંધી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે—
For Private And Personal Use Only