________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી ક્ષત્રિયાભિમાની બની, ભ્રમજાળમાં સપડાય છે. બ્રાહ્મણીની કુખે જન્મતાં, હું બ્રાહ્મણ છું. વર્ષમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ મિથ્યાદ્રઢાધ્યાસ અજ્ઞાનતઃ બંધાઈ જાય છે, અને તે મહાપ્રયત્ન સશુરૂસંગથી છુટે છે, ત્યારે હું તે આત્મા છું, એમ સત્યજ્ઞાન પ્રગટે છે. વૈશ્યને ત્યાં જન્મ થતાં, હું વૈિશ્ય છું, મારાં અમુક કાર્ય છે, એમ બહિરા
પણાથી વૈશ્યજાતિમાં અહંવૃત્તિની જાગૃતિ થાય છે. શુદ્રને ત્યાં જન્મ થતાં, હું કુછું, એમ દ્રઢ અધ્યાસ બંધાય છે. યવનને ત્યાં જન્મ થતાં, હું યવન છું, એમ અહંવૃત્તિરૂપ દ્રઢ અધ્યાસ બંધાય છે. ચીનાને ત્યાં જન્મ થતાં હું ચીને છું, એ દ્રઢ અધ્યાસ બંધાઈ જાય છે. વળી ઉત્તમકુળમાં જન્મ થાય, તે મનમાં અહંકારથી વિચારે કે સર્વ મનુષ્યમાં હું શ્રેષ્ટ છું; એવી રીતે આત્મા અહો ! બહિરાત્મભાવથી પિતાને જ્યાં જન્મે, ત્યાં તે માની લે છે. અહો ! સદાકાળ અજ્ઞાનમૂળ અહંવૃત્તિની જામૃતિમાં, આત્મા પિતાની જાગ્રદેવસ્થા સ્વીકારે છે; અહો! આવી રીતે આત્મા જ્યારે બાહ્યભાવમાં પોતાને કષી લે છે, તે તે પરમાત્મસ્વરૂપ શીરીતે પ્રાપ્ત કરી શકે ? જેમ કોઈ મનુષ્ય પિતાને રાજા છતાં, ભીક્ષુક કલ્પી લે, તે તેની કેટલી અજ્ઞાનાવસ્થા ! તેમ આ આત્મા બહિશત્મભાવમાં, પિતાને કલ્પી, મહાદુઃખપાત્ર બન્યું છે. જેમ
For Private And Personal Use Only