________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધિ કરે છે. અને ક્રિયાનું યથાર્થ ફળ મળતું નથી. ભવ્ય જીવે કિયાનું સેવન કરવું. ધર્મક્રિયા નિષ્ફળ જતી નથી. દોષ રહિત ક્રિયા કરવાના કરતાં કિયા નહીં કરવી, તે સારી એમ કઈ કહે તે તે ય નથી. દોષ ટાળવાની સાપેક્ષ બુદ્ધિથી કિયા કરે, ને દોષ લાગે, તો પણ ક્રિયા કરનાર કિયા નહિ કરનાર કરતાં સારે છે, અને તે આરાધક છે. જ્ઞાન હોય તો પણ કિયા વિના મુક્તિ નથી. સિદ્ધાંતમાં કહ્યું છે કે--
ગાથા. जाणतो वि य तरिउं काइय जोगं अजुंजए नइए । सो बुझइ सोएणं एवं वाणी चरणहीणो ॥ 1 ॥
ભાવાર્થ-તરવાનું જાણતાં હતાં, પણ નદીમાં પેશી કરચરણ હલાવે નહીં, તે નદીમાં બૂડે, તેમ જ્ઞાની પણ ચારિત્રમાર્ગથી હીન ભવ સાગરમાં ડૂબે. ચારિત્રમાર્ગથી ઘણું ગુણની પ્રાપ્તિ થાય છે. માટે આવશ્યકાદિ ધર્મ ક્રિયાઓનું બહુ પ્રેમથી સેવન કરવું. પણ નિંદાદિક દોષનું ભેગું સેવન કરવું નહીં. તેમ ક્રિયાને ગર્વ પણ કરે નહીં. ધર્મકિયા કરનારાઓ જે જ્ઞાન સંપાદન કરે, અને અન્તરાત્મસન્મુખ વળે, તે દેષો નાશ પામતા જાય. ગમે તેવી પતે બહિરાત્મભાવથી સારી ધર્મક્રિયા કરે, અને ગર્વ નિંદાદિ દે
For Private And Personal Use Only