________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) શ્રી રૂષભદેવ અથવા વીર પ્રભુરૂપ વ્યક્તિની અપેક્ષાએ, સિદ્ધ જીવની સાદિ અનતિ સ્થિતિ છે. એનું વિશેષ સ્વરૂપ સશુરૂ ઉપાસના કરી લેવું. મેક્ષ સ્થાન પ્રાપ્તિની એક જીવની અપેક્ષાએ સાદિ છે, પણ મેક્ષમાંથી જીવ પાછો સંસારમાં આવતું નથી. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ કર્મ છે; અને કર્મ જ્યાં છે, ત્યાં સંસાર છે. સિદ્ધના જીવ સંપૂર્ણ કર્મક્ષય કરી, નિવાર્ણ પદ પામ્યા છે. તેથી પુનઃ સંસારમાં અવતાર લઈ શકતા નથી. કહ્યું છે કે –
ઋો. दग्धे वीजे यथात्यंत प्रादुर्भवति नाङ्कुर ॥ कर्मबीजे तथा दग्धे नरोहति भवाङ्कुर ॥
બીજ બળી જતાં, જેમ બળેલા બીજમાંથી, અંકુર ઉગી નીકળતો નથી, તેમ કર્મ બીજ બળી જતાં, સંસારરૂ૫ અંકુર ઉગી નીકળતો નથી. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે–ચકૂવા ને નિવર્તતે તદ્દા પરમં મન જ્યાં ગયા બાદ સંસારમાં પાછું આવતું નથી, તેજ મેક્ષ છે; આત્મા પોતાના અસંખ્ય પ્રદેશે કરી મુક્તિાસ્થાનમાં રહે છે. સ્વસ્વરૂપે આત્મા અનંત ગુણથી અનંત પર્યાયથી જ્યાં શોભી રહ્યા છે, તે સ્થાન ભવ્ય પુરૂષોએ પ્રાપ્ત કરવું ચગ્ય છે. *
હવે સામાન્યતઃ શુદ્ધ પરિણતિ તથા તેના સ્વા
For Private And Personal Use Only