________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) તમે સેવન કરે છે, ધનની પ્રાપ્તી માટે તમે અમુક શેઠના દાસ થઈને રહે છે. રાત્રી અને દીવસ ગદ્ધાવૈતરૂ કરતાં જરા માત્ર અચકાતા નથી. વળી તમે ધનની પ્રાપ્તિ માટે પહાડ, નદી, જંગલ, સમુદ્ર, ખાણોમાં ભય દૂર કરી જાઓ છે-અને તે કાર્યમાં કેટલો બધે ઉમંગ ધરાવે છે ! શું તમેએ આત્માની શુદ્ધ પરિણતિરૂપ અનંત ધન અર્થે સત્ર ગુરૂનું દાસત્વ અંગીકાર કર્યું છે ! શુદ્ધ પરિણતિરૂપ ધન અર્થ શું તમોએ રાત્રી દીવસ સતત પ્રયત્ન કર્યો છે? શું તમે એ આમપરિણતિરૂપ ધનને અર્થે અનેક પ્રકારના ભયને ત્યાગ કરી, ધ્યાનાભ્યાસમાં પ્રવેશ કર્યો છે? ઉત્તરમાં કહેશે કે કશું કર્યું નથી. જ્યારે તમે સત્યધન, અને સત્ય સુખરૂપ શુદ્ધ પરિણતિ માટે ધ્યાનાભ્યાસરૂપ પ્રયત્ન કરતા નથી, તે તેની પ્રાપ્તિ શી રીતે કરી શકો? શું વાત કરતાં વડાં થઈ જશે એમ તમે ધારો છો! ના કદી તેમ થવાનું નથી. તમે જરા જુઓ ! જંબુ સ્વામી નામે ચરમકેવલી થયા, તેમણે સાંસારીક ક્ષણભંગુરસુખને ત્યાગ કરી, સત્ય અનંતસુખ પ્રાપ્ત કરવા માટે કેટલો બધો પ્રયત્ન કર્યો છે. શ્રી જંબુસ્વામીએ આત્મસન્મુખતા માટે બાહ્ય પ્રપંચેથી કેટલી બધી પરાધખતા ધારણ કરી હતી. તેમ કદી પ્રયત્ન તમે કરો છો? શ્રી વીરપરમાત્મા ચરમતીર્થકરે શુદ્ધ પરિણતિ અર્થે બાર વર્ષ અધિક ઉત્તમ પ્રકારની
For Private And Personal Use Only