________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) તિને ધ્યાનક્રિયા કહે છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વેરાગી મુનિરાજેની સંગતિ કરવી, અને દ્રવ્યાનુયેગનાં પુસ્તકો વાંચવાં. એમ સતત પ્રયાસ કર્યાથી, વૈરાગ્યભાવ પ્રગટ થશે. અને તેથી વિષથી વૈરાગી થયેલું મન અમાના ગુણો તરફ વળશે. જલમાં કમળ રહે છે પણ જલથી ન્યારું રહે છે, તેમ તેવા છે સંસારવ્યવહારકાર્યોમાં પ્રવૃત્તિ ઔદયીકભાવના વેગથી કરે પણ અન્તરથી ન્યારા વર્તી, રાગદ્વેષને લેપ આત્માને થવા દેતા નથી. તેથી તેઓ ખરા વૈરાગી કહેવાય છે. આવા વૈરાગી પુરૂષ વા સ્ત્રીવર્ગ આત્મીકસુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અને સત્ય સુખ પ્રાપ્ત કરવા અને વિષયસુખ પરાભુખ થવા ચારિત્ર અંગીકાર કરે છે, ચારિત્ર અંગીકાર કરી નિરૂપાધિ દશા ભોગવી, ક્ષણે ક્ષણે આત્મસુખ અનુભવે છે. ખરેખર સત્યસુખ મુનિ અવસ્થામાં ધ્યાન દશાથી મળે છે. સંસારનાં વિષયક સુખ ત્યાગવાનું કારણ એ છે કે સંસ્કારી સુખ અનિત્ય છે, અને તે સુખની પાછળ દુઃખ રહ્યું છે, અને આત્મસુખ નિત્ય છે. આત્મસુખ સદાકાળ રહે છે. તેથી આત્મસુખ પ્રાપ્ત કરવા ચારિત્ર અંગીકાર કરવાની જરૂર છે. પરિસહ કેવળ સહન કરવા એટલેજ ઉદ્દેશ કાંઈ ચારિત્ર શબ્દને નથી. પરિસહ સહન કરવા તે પણ આત્મસુખ પ્રાપ્ત કરવા માટે, અને નવાં કર્મ બંધાય નહીં તે માટે છે. આત્મધ્યાની ચારિત્ર
For Private And Personal Use Only