________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) જીવ બે પ્રકારના છે. સંસારી તથા સિદ્ધ તેમાં સંસારી જીવના બે ભેદ છે, ૧. ત્રસ અને ૨. સ્થાવર. તેમાં સ્થાવરના પાંચ ભેદ છે. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય. તેમજ ત્રણ જીવના દ્વીન્દ્રિય. ત્રીન્દ્રિય. ચતુરિ દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર ભેદ છે. એમ જીવના પાંચસે ત્રેસઠ ભેદ થાય છે. ચેતના લક્ષણથી જીવ એક પ્રકારે છે. ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ જીવ બે પ્રકારે કહેવાય છે. સ્ત્રી વેદ, પુરૂષ વેદ, અને નપુંશક વેદ, આ ત્રણ વેદવાળા છ દુનીયામાં વર્તે છે, માટે ત્રણ પ્રકારે જીવ કહેવાય છે. દેવતા, મનુષ્ય, તીર્યચ, અને નારકી આ ચાર ગતિની અપેક્ષાએ જીવ ચાર પ્રકારના કહે છે. તેમ સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને તેન્દ્રિયની અપેક્ષાએ જીવ પંચ પ્રકારે કહેવાય છે. કાયની અપેક્ષાએ જીવ છ પ્રકારે કહેવાય છે. વળી નવતર પ્રકરણમાં જીવના ચઉદ ભેદ કથન કર્યા છે–
માથા. एगिदिअ सुहुमियरा साण्णयरा पणिंदियस वितिचउ । अपज्जत्ता पज्जता कमेण चउदस जीयठाणा ॥ १ ॥
એકેદ્રિયના સૂક્ષમ અને બાદર એ બે ભેદ છે. પદ્રિય છે સંસી અને અસંી એ બે ભેદે છે.
For Private And Personal Use Only