________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) દ્રવ્યનું કાર્ય અન્યદ્રશ્ય કેમ કરી શકે ? અગ્નિમાં ઉષ્ણતા સ્વભાવેજ રહી છે. તેને કર્તા જેમ અન્ય ઈશ્વર નથી. જલમાં શીતતા સ્વભાવે રહી છે, તેને કર્તા અન્ય ઇશ્વરરૂપે નથી. તેમ જ દ્રવ્યના સમૂહરૂપ આ જગને કર્તા અન્ય ઈશ્વર નથી. પણ પ્રત્યેક દ્રવ્ય તિપિતાના ધર્મનો કર્તા છે, અમુક અને અમુક પદાર્થ ભેગા કરીએ ત્યારે લાલરંગ બને છે. તેમ યુગલ કંધના ભેગા થવાથી મેટા મેટા પર્વત વિગેરે બને છે. પુગલ દ્રવ્યના મહાન પર્યાય થવામાં પુદ્ગલ દ્રવ્યજ કારણી ભૂત છે. પુગલ દ્રવ્ય માં વિચિત્ર શક્તિ રહી છે. એક તલમાત્ર હલાહલ વિષયથી, મોટા મોટા હાથીઓના પ્રાણ નાશ પામે છે, ત્યારે વિચારે કે પુગમાં કેટલી શક્તિ રહી છે. ભિન્ન ભિન્ન વણ બંધ રસ અને સ્પર્શને લઈ પુગલ સક પણ ભિન્ન ભિન્ન શક્તિવાળા બનેલા હોય છે. અને તેથી પુદ્ગલ દ્રવ્યના પર્યાયે પણ પરસ્પર એક બીજાથી વિરૂદ્ધ સ્વભાવવાળા હોય છે, કેટલાક પગલે શરીરમાં રૂધિર રૂપે પરિણમે છે, અને કેટલાંક પુગલો શરીરમાં ધાતુ રૂપે પરિણમે છે. વળી કેટલાક પરમાણુ પુદ્ગલેને અસ્થિ રૂપ પરિણામ બને છે. વળી કેટલાંક પુગલે પરસેવા રૂપે પરિણમે છે. એમ પુગલ દ્રવ્યના પર્યાને પરિણામ ભિન્ન ભિન્ન રૂપે પરિણમ્યા કરે છે. જેમ શેલડીના
For Private And Personal Use Only