________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) જવાથી અંધકાર તુરત નાશ પામે છે, તેમ જ્ઞાની ગુરૂ સેવતાં અહંવૃત્તિરૂપ અંધકારને તુરત નાશ થાય છે. હાલના સમયમાં ગુરૂ શરણ્ય છે. પ્રદેશ રાજા મહા મિથ્યાત્વી હતો પુણ્ય પાપ માનતે નહોતે, તથા જીવ પણ માનતે નહોતો. પંચભૂતનું પૂતળું શરીર છે, તે વિના જીવ વસ્તુ અન્ય નથી, એવું તે માનતો હતો. પણ કેશી કુમારની પાસે આવ્યો ત્યારે તેના હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યનો પ્રકાશ થયે. અને જૈન ધર્મ અંગીકાર કર્યો. તેનો વિશેષ વિચાર અમારા બનાવેલા પંચશતી નામના ગ્રંથમાં જોઈ લે. તેમજ જ્ઞાની સદ્ગરૂની કેવી રીતે ભક્તિ કરવી તેની વિધી અમારા બનાવેલા અનુભવ પંચવિંશતિ નામના ગ્રંથમાંથી જોઈ લેવી. આ સ્થાને તેને વિશેષ અધિકાર લખ્યો નથી. ગુરૂ સેવા સંબંધી નીચે લખેલું પદ અનુભવવું—
પઢ. गुरूगमथी भाइ ज्ञान ग्रहो तुम, गुरु देवता गुरु दीवो।। गुरु आंखोने गुरु के पांखो, गुरु गीतारथ जगजीवो-गुरू ।।१।। गुरुकृपाथी ज्ञानज प्रगटे, विघटे मिथ्यामल भारी ।। चिरंजीवजो गुरूगीतारथ, बुडंतां वेडली तारी -गुरू ॥२॥ देवगुरू दो देखी सज्जन, बन्दो पहेला किसकं भाइ ॥ उपकारी गुरुवन्दन पहेला, संत जनोए दीयुं बताइ-गुरू ॥३॥
For Private And Personal Use Only