________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) તે પ્રથમ સર્વ પાપકૃત્યોનો ત્યાગ કરે છે. ગૃહસ્થાવાસના કૃત્યને ત્યાગ કરે છે અને પુત્ર સ્ત્રી આદિકને મમત્વભાવ દૂર કરી, સંસારને ત્યાગી, સર્વ પરભાવથી દૂર રહી જીનદશનના ચિન્હ તરીકે તથા ગૃહરથાવાસ કરતાં સાધુ માર્ગ અન્ય છે, તે ઓળખાવવા, તથા શરીરની ધર્મના અર્થ સંરક્ષા કરવા માટે, સાધુવેષ અંગીકાર કરવાથી, મમત્વને તે મૂળથીજ નાશ થાય છે. અને આત્માના ગુણ પ્રકટાવા ધ્યાન વિગેરે પ્રયત્ન થાય છે. શરીરને પણ મમત્વ રહેતો નથી, તે વસ્ત્રને મમત્વ કયાંથી હોય ? ફક્ત એક આત્મા વિના કોઈ પણ વસ્તુ પિતાની ભાસ્તી નથી. તેથી જીનદર્શન નના સાધુમાં વ્યવહારેષ અંગીકાર કરતાં કોઈપણ દોષ સંભવતો નથી. જેમ ઔષધ ખાતાં ચરી પાળવી છે, તે ગુણને માટે છે; તેમ ધર્મરતાં સાધુવેષ અંગીકાર કરવો તે પણ ધર્મના માટે છે; જેમ ક્ષેત્રને વાડની જરૂર છે, તેમ ધર્મકરતાં સાધુવેષની પણ જરૂર છે. જેમ આંબાના વૃક્ષને વાલીયાની જરૂર છે, તેમ સાધુને ધર્મ સેવન કરતાં સાધુવેષની જરૂર છે. જેમ રૂપૈયામાં એક રૂપું હોય, અને છાપ સારી હોય, તેમ એકતો ધર્મ સત્ય, અને વેષ પણ સત્ય એમ છનદર્શનમાં સમજી લેવું. અન્ય વેને પરિહાર કરી સત્યધર્મવેષની સિદ્ધિ કર્યાબાદ, પુનઃ અહંવૃત્તિનું વર્ણન કરતાં કહેવામાં આવે છે કે અહો ! આ જગત્માં કાળીચૌદશના જેવું અંધારૂ વ્યાપી રહ્યું છે. અર્થાત્ દુનિ
For Private And Personal Use Only