________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂના સન્મુખ હાથ જોડી બેસવું. પગ લાંબા કરી બેસવું નહી તેમ પગના ઉપર પગ ચઢાવવા નહીં. ગુરૂરાજ આજ્ઞા ક્રમાવે તે તે શ્રવણ કરી મનમાં અત્યંત હર્ષ ધારણ કરે અને ભાવના ભાવે કે અહા ! આજ મારાં પૂર્ણ ભાગ્ય કે શ્રી સદ્ગુરૂએ મારી ઉપર કૃપા કરી, આજ્ઞા ફરમાવી તથા ગુરૂ જે વચન કહે તે તત્તિ કહી સ્વીકારે, તથા કાયા થકી સદ્ગુરૂનાં કથન કરેલાં કાર્ય કરે એમ અનેક પ્રકારે સદ્ગુરૂના વિનય સાચવી, તેમના મુખથી આત્મતત્ત્વ વિદ્યાનું ગ્રહણ કરે. ગુરૂના બહુ વિનય કરે નહીં, તેા તત્વ પ્રાપ્ત થઈ શકે નહીં મુક્તિમાર્ગ દર્શક સ’સારસમુદ્ર તારક શ્રી સદ્ગુરૂજ છે. ગુરૂ વિના સ્વછંદતાએ પુરતા વાં ચવાથી, કાર્ય સિદ્ધ થતું નથી, ગુરૂને વિનય વૈયાવચ્ચ અભ્યંતર તપમાં કહ્યો છે. ગુરૂ વિનયથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ થાય છે. માટે સદ્ગુરૂ ઉપાસનાપૂર્વક આત્મજ્ઞાન સપ્રાપ્તિ કરવી. આત્મજ્ઞાનથી અવૃત્તિનો નાશ થાય છે. આત્મજ્ઞાન વિના અવૃત્તિનું રાજ્ય પ્રવર્તવાથી, અનેક ધર્મ પન્થા પૃથ્વીમાં પ્રગટ થયા અને થાય છે.તેમાં અહવૃત્તિનાજ વિલાસ છે. અવૃત્તિનું મૂળ અજ્ઞાન છે. અને અજ્ઞાન તે મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. જગના જવા સર્વ બાહ્ય મોહ, પચનુ સ્વરૂપ ખાટુ' જાણે, તે મુક્તિ દૂર નથી. અહ વૃત્તિથીજ દુ:ખ થયાં, અને થશે, અહ વૃત્તિથીજ
For Private And Personal Use Only