________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત મનના વિકારવંત ભાવનો અભાવ છે. અને વેદનીય કમને અભાવ હોવાથી નિરાબાધ બાધા-પીડાથી રહિત છે. મહ. અને જ્ઞાનાવરણ દશનાવરણ અને અંતરાય કમને ક્ષય થયે. હોવાથી જેમને ઉપદેશ પૂર્ણ પ્રમાણિક હોવાથી બાધ દોષ વિનાને હોય છે. તેવા મહાત્માઓ જ્ઞાનસાર રૂપ હેવાથી તેમની ઉપાસના કરનારા તેવા જ્ઞાન સારને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે જ સર્વ તીર્થરૂપ દ્વાદશાંગને તથા તેના ઉપાસક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ તીર્થને તે તીર્થકરે પ્રગટ કરે છે. તેની ઉપાસના કરનારને અહિંયાં પણ પરમ અહાદજનક મેક્ષ સુખની વાનગી પ્રાપ્ત થાય છે તેથી તે આત્મા અનંત ગુણેનું સ્થાન છે. જો કે હાલમાં સત્તા રૂપે ગુપ્ત છે પણ પરમાત્માની ઉપાસના કરનારા સર્વ કર્મને ક્ષય કરીને પ્રગટ કરે છે જ, અને સર્વ જગતના સર્વ પદાર્થો દિવ્યત્વ ગુણત્વ પર્યાયવ રૂપે અનંત છે. તેનું યથાર્થ ભાવે પ્રમાણુ જ્ઞાનને સમયે સમયે પ્રાપ્ત કરે છે. અને સ્વ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ કરે છે. કહ્યું છે કે. "एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टा! सर्वे भावा सर्वथा येन दृष्टा, एको भावः सर्वथा तेन दृष्ट ॥१॥
જે મહાપુરૂષે એક પદાર્થને દ્રવ્ય પર્યાય ગુણરૂપે સર્વ સ્વભાવથી જાણે છે તે મહાત્મા જગતના સર્વ પદાર્થોને પણ સર્વ સ્વભાવથી પૂર્ણ જાણે છે. જે સર્વ પદાર્થોને સર્વથા જાણે છે તે જ એક પદાર્થને પણ પૂર્ણ સ્વભાવથી જાણે છે. જે સર્વને સર્વથા જાણે છે તે જ એક પદાર્થ પણ પૂર્ણ સર્વ
For Private And Personal Use Only