________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
સ્કંધ રૂપ કાર્ય પ્રભુવડે થયું તેમાં જડ સ્વભાવને ધારણ કરીને નવા સ્કન્ધ બનાવ્યા કે પૂર્વે હતા તે. જે પૂર્વે હતા તે તે પરમાત્માએ નવું શું કર્યું? કે જેથી જગતના કર્તા કહેવાય છે ૫૫
વિવેચન –પરમાત્માએ જે આણુઓ પરમાણુઓ સ્વતંત્ર હતા તેને ભેગા કરીને પૃથ્વી પર્વત નદી સમુદ્ર માનવ પશુ પક્ષી રૂપે બનાવ્યા તેથી એમ થયું કે પહેલા જીવે કે કાંઈ ન હોવું જોઈએ તેજ પ્રભુ તેના કર્તા ગણાય પણ પહેલાં ન હતું તેવું કાંઈ નથી. સદા જગતુ પૂર્ણ સ્વરૂપને વિનાશ નવા સ્વરૂપે ઉત્પાદ અને દ્રવ્યત્વ રૂપે કાયમ વતે છે. જગત-જડ ચેતનમય સર્વ વસ્તુને સદા આ સ્વભાવ વતે છે. તેમાં ઈશ્વરનું કાંઈ કરવા પણું જણાતું નથી, વળી જે ઈશ્વર જગતને બનાવતા હોય તે જડ સ્વભાવ ધારણ કરીને બનાવે છે. કે ચેતન સ્વભાવ ધારણ કરીને બનાવે છે તે પણ વિચારવું પડે તેમ છે. કારણકે જે પદાર્થોમાં જેની પ્રવૃત્તિ થાય તેને તેવા સ્વરૂપ મય બનીને બનાવવું પડે છે, માટી ઘટાકારે થઈને ઘટ બનાવે છે. એટલે પરમાત્માએ જડ દ્રવ્યને સ્વભાવ ધરીને પાંચ ભૂતમય જગતની રચના કરી એમ જે આપ કહેતે તે જડ પદાર્થ જગતનું ઉપાદાન કારણ ગણાય. અને જે નિમિત્ત કારણ કહેતા હે તે પૂર્વે પ્રભુએ કઈ વસ્તુ ઉપજાવી? જે તે પહેલાં નહતી તે પ્રભુએ તેવા રૂપે બનીને ઉપજાવી તેવું માનવું પડે જ એટલે ઉપાદાનતા સિદ્ધ થાય. કુંભાર ઘટ
For Private And Personal Use Only